હોળી પહેલા લગભગ 7 કરોડ ઈપીએફ ખાતાધારકોને મોટી ભેટ મળી શકે છે. એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ) ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક 28 ફેબ્રુઆરી 2025 ના રોજ યોજાવાની શક્યતા છે, જેમાં નાણાકીય વર્ષ 2024-25 માં ઈપીએફ પર 8.25 ટકા વ્યાજ આપવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. અગાઉ નાણાકીય વર્ષ 2023-24માં પણ કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ પર 8.25 ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું.
આગામી અઠવાડિયે ઈપીએફઓની નાણાકીય રોકાણ અને ઓડિટ સમિતિની બેઠક યોજાવા જઈ રહી છે જેમાં ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે ઈપીએફઓની આવક અને ખર્ચ પર વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ પર કેટલું વ્યાજ આપવું તે નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાનારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં વ્યાજ દર પર અંતિમ મહોર લગાવવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં વ્યાજ દર નક્કી થયા પછી તેને મંજૂરી માટે નાણા મંત્રાલયને મોકલવામાં આવશે.
નાણાકીય વર્ષ 2023-24 માટે, ઈપીએફ ખાતાધારકોને 8.25 ટકા, 2022-23માં 8.15 ટકા અને 2021-22માં 8.10 ટકાના દરે વ્યાજ મળ્યું. એવું માનવામાં આવે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં, ઈપીએફઓને તેના રોકાણો પર ઉત્તમ વળતર મળ્યું છે. તે જ સમયે, ઈપીએફઓએ પ્રોવિડન્ટ ફંડ ક્લેમ સેટલમેન્ટના મામલે ઇતિહાસ રચ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં, એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને 5 કરોડથી વધુ દાવાઓનું સમાધાન કર્યું છે જે એક રેકોર્ડ છે. નાણાકીય વર્ષ 2024-25માં, ઈપીએફઓએ 2,05,932.49 કરોડ રૂપિયાના 5.08 કરોડ દાવાઓનું સમાધાન કર્યું છે જે 2023-24ના 1,82,838.28 કરોડ રૂપિયાના 4.45 કરોડ દાવાઓ કરતાં ઘણું વધારે છે.
હાલમાં, ઈપીએફઓ પાસે 7 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં ઈપીએફઓમાં જમા કરાયેલા પૈસા સૌથી મોટી સામાજિક સુરક્ષા યોજના માનવામાં આવે છે. દર મહિને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના પગારમાંથી પીએફના નામે એક નિશ્ચિત ભાગ કાપવામાં આવે છે. પીએફમાં ફાળો નોકરીદાતા દ્વારા આપવામાં આવે છે. નોકરી ગુમાવવા, મકાન બનાવવા કે ખરીદવા, લગ્ન, બાળકોના શિક્ષણ અથવા નિવૃત્તિના કિસ્સામાં કર્મચારીઓ પીએફના પૈસા ઉપાડી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech