દ્વારકા નજીકના દરિયા કાંઠેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપળ્યો
ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામના દેવાભાઈ રાજશીભાઈ ભારવાડીયા નામના 73 વર્ષના વૃદ્ધ તેમની દવા લેવા માટે જામનગર જઈ રહ્યા હતા, ત્યારે ભાણવડથી આશરે 13 કિલોમીટર દૂર શિવા ગામના પાટીયા પાસેથી મોટરસાયકલ પર જઈ રહેલા દેવાભાઈની બાઈક આડે કુતરુ ઉતરતા મોટરસાયકલ સ્લીપ થઈ જવા પામ્યું હતું. જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર નવનીતભાઈ દેવાભાઈ ભારવાડીયા (ઉ.વ. 38) એ ભાણવડ પોલીસને કરી છે.
દ્વારકાથી આશરે ત્રણ કિલોમીટર દૂર ગાયત્રી મંદિર પાસે આવેલા દરિયા કાંઠે એક પુરુષનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા આના અનુસંધાને પોલીસ સ્ટાફ ઉપરોક્ત સ્થળે દોડી ગયો હતો. આશરે 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષના અહીં રહેલા મૃતદેહને જોતા યુવાનના જમણા હાથની કલાઈ ઉપર અંગ્રેજીમાં ટી તથા નાના અક્ષરે ટી.સી. અને આઈ.ઓ.યુ. તથા ગુજરાતીમાં તુલસી ત્રોફાવેલું હોવાનું ખુલવા પામ્યું હતું. આ અજાણ્યો યુવાન કોઈ પણ કારણોસર દરિયાના પાણીમાં પડી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું ખુલવા પામ્યું છે. આ અંગે દ્વારકા પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમધર્સ ડે નિમિત્તે ઉપલેટા સ્કૂલની અનોખી પહેલ: મધર ક્લબની સ્થાપના કરાઈ
May 11, 2025 04:50 PMપાકિસ્તાન વિરુદ્ધ ગોંડલના યુવાનોમાં આક્રોશ
May 11, 2025 04:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech