પીઠડીયા ટોલનાકા પાસે વીરપુરમાં રહેતા ઇજનેર યુવાનને ટોલનાકાના કર્મચારીએ કારની બહાર ખેંચી માર મારી ધમકી આપી હતી. યુવાનની પત્ની બચાવવા વચ્ચે પડતા તેને પણ ધક્કો મારી દીધો હતો. ધોરાજી ડિનર કરી પરત ફરી રહેલા યુવાને ટોલનાકે ફાસ્ટટેગ રિચાર્જ ન હોય ૧૦૦ પિયા ભરવાનું કહ્યું હતું. પરંતુ યુવાને તુરતં મોબાઇલમાંથી રિચાર્જ કરી આપતા અહીં અડધા કલાક ઊભા રહો તેમ કહી બાદમાં ડખો કર્યેા હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી વીરપુર પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, વીરપુરમાં સતીમાં રોડ વિસ્તારમાં રહેતા અને અમદાવાદમાં ઇજનેર તરીકે નોકરી કરનાર હર્ષિલભાઈ (ઉ.વ ૨૫) નામના ઇજનેર યુવાને વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે ગીર સોમનાથ પંથકના નિલેશ નામના શખસનું નામ આપ્યું છે.યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તે તથા તેમના પત્ની અને બહેનો ધોરાજીમાં હોટલમાં ડિનર કરી રાત્રિના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે પીઠડીયા ટોલનાકા પાસે તેમણે પોતાની હન્ડાઈ એસન્ટ કાર ઊભી રાખી હતી કારમાં ફાસ્ટટેગ રિચાર્જ ન હોય જેથી ટોલનાકાના કર્મચારીએ .૧૦૦ ભરી દો અને ગાડી આગળ ઉભી રાખી દો તેમ કહ્યું હતું. યુવાને તુરતં મોબાઇલમાંથી ફાસ્ટટેગ રિચાર્જ કરી લીધું હતું અને આ બાબતે કહેતા ટોલનાકાના કર્મચારીએ અડધો કલાક ઊભા રહેવાનું કહ્યું હતું. દરમિયાન એક શખસ તેની પાસે ધસી આવ્યો હતો અને દરવાજો ખોલી યુવાનનો કોલર પકડી તેને કારમાંથી બહાર ખેંચી લીધો હતો. જેથી યુવાને કહ્યું હતું કે, તમે કોણ છો મારો કોલર કેમ પકડી શકો? જેથી આ શખસે કહ્યું હતું કે, હત્પં નિલેશ ગીર સોમનાથવાળો છું તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો. ગાળો આપવાની ના કહેતા ઢીકાપાટુનો મારમાર્યેા હતો.
દરમિયાન યુવાનના પત્ની બહાર નીકળી વચ્ચે પડતા તેને પણ ધક્કો મારી દીધો હતો બાદમાં અહીં લોકો એકત્ર થઈ જતા યુવાનને વધુ મારમાંથી બચાવ્યો હતો. આ શખસે જતા જતા ધમકી આપી હતી કે, આ વખતે બધા આવી ગયા એટલે તું બચી ગયો હવે ફરીવાર ટોલનાકે આવીશ એટલે તને લાકડીથી માર મારીને પતાવી દેવો છે. આ અંગે યુવાનની ફરિયાદ પરથી વીરપુર પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજી અને ન્યારી ડેમએ એમ્યુઝમેન્ટ પાર્ક પ્રોજેકટ શા માટે ભુલાવી દેવાયો ?
May 20, 2024 02:38 PMયામી ગૌતમે તેના પુત્રનું નામ રાખ્યું કંઈક આવું જેનો અર્થ છે ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત
May 20, 2024 02:06 PMદૂધ પીવાના માત્ર ફાયદા જ નથી નુકસાન પણ છે, જાણો કેવી રીતે
May 20, 2024 02:03 PMજામનગર: ઈકો કાર ચાલક અને એકટીવા ચાલક વચ્ચે બબાલ...
May 20, 2024 01:44 PMજામનગર: ઈકો કાર ચાલક અને એકટીવા ચાલક વચ્ચે બબાલ...
May 20, 2024 01:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech