મુંબઈની એક ખાસ ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના પૂર્વ અધ્યક્ષ માધવી પુરી બુચ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે શેરબજારમાં છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘનના કેસમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને SEBIના ટોચના અધિકારીઓ સામે પણ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે.
થાણે સ્થિત પત્રકાર સપન શ્રીવાસ્તવ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સ્પેશિયલ જજ એસ.ઈ. બાંગરે આ આદેશ આપ્યો છે. સપને સ્ટોક એક્સચેન્જમાં એક કંપનીના લિસ્ટિંગમાં મોટા પાયે નાણાકીય છેતરપિંડી અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.
ફરિયાદીની ત્રણ દલીલો...
સેબીના અધિકારીઓ તેમની કાનૂની ફરજમાં નિષ્ફળ ગયા.
બજારમાં હેરાફેરીની કરવાની છૂટ આપવામાં આવી, જેનાથી રોકાણકારોને નુકસાન થયું.
નિયમોનું પાલન ન કરતી કંપનીઓને લિસ્ટિંગની મંજૂરી આપવામાં આવી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech