બગસરામાં ડીએપી ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી. યારે શહેરમાં ઘણા દિવસોથી ખાતર ન આવતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડો હતો. હાલમાં ખેડૂતોની શિયાળા પાકની સિઝન ચાલી રહી હોય ત્યારે ખાતરની પોતાના પાકો માટે આ ખાતરની પુષ્કળ પ્રમાણમાં આવશ્યકતા હોય પરંતુ શહેરમાં ખાતર ન આવવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. યારે ૨૫ દિવસ બાદ ૩૬૦ થેલી જેટલું ખાતર આવતા ખેડૂતોમાં લાંબી લાઈનો લાગી ગઈ હતી. યારે આ બાબતની જાણ થતા જ બસ્સો કરતા વધારે ખેડૂતો સવારથી જ બપોર સુધીમાં લાઈનમાં ઉભા રહ્યા છતાં એક ખેડૂતને બે–બે થેલી જ ડીએપી ખાતર મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. યારે હાલમાં ખેડૂતોને શિયાળુ વાવેતર માટે ખાતરની જરિયાત હોય છે ત્યારે ખાતરની અછતથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડો છે. યારે ૨૦૦ ઉપરાંત ખેડૂતો ડીએપી ખાતર લેવા લાઈનમાં ઉભા હતા તેમ છતાં ફકત બે–બે થેલી જ ખાતર આપવામાં આવ્યું હતું. જયારે સરકાર દ્રારા ફકત ૩૬૦ થેલી જ ખાતર મોકલેલ હતું. હાલમાં ખેડૂતો ખાતરના વાંકે પોતાના પાકો ઉપર જોખમ મંડાય રહ્યું હોય તેમ ખેડૂતોની આ ખાતર આવતાની જાણ થતા જ લાંબી કતારો લાગી ગઈ હતી. પરંતુ અંતમાં તો ખેડૂતોમાં નરાજગી જ જોવા મળી હતી અને સાથો સાથ વધુ ખાતર ઝડપથી આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાવઠાનું જોર ઓછું થયું છતાં આજે રાજ્યભરમાં વરસાદનું યલો એલર્ટ યથાવત
May 09, 2025 10:29 AMબોર્ડની પૂરક પરીક્ષા માત્ર જિલ્લા કક્ષાના કેન્દ્રોમાં જ જુન માસમાં લેવા નિર્ણય
May 09, 2025 10:27 AMજસદણના ડૉ રામાણીને ગર્ભ પરીક્ષણ મામલે ૧૮ માસની સજા -૨૫ હજાર દંડ
May 09, 2025 10:26 AMન્યાયતંત્ર પર ટિપ્પણી કરવા બદલ સુપ્રીમ કોર્ટે દુબેને લગાવી ફટકાર
May 09, 2025 10:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech