કાકી અને પિતરાઈ બહેન સામે ફરિયાદ : દરવાજાને સ્ટોપર મારી દેવાનો મામલો કારણભુત
જામનગરના દિ.પ્લોટ 17 વિસ્તારમાં દરવાજાની સ્ટોપર મારવાના મામલે મહિલા એડવોકેટને ઢીકાપાટુનો માર મારીને ધમકી દીધાની બે મહિલા સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 17માં રહેતા અને વકીલાત તરીકેનો વ્યવસ્થા કરતા મીરાબેન શાંતિલાલ અઘેડા (ઉ.વ.32)એ પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ભાવનાબેન જગદીશભાઈ અઘેરા અને નિશાબેન જગદીશભાઈ અઘેરા સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર તા. 25ના તેઓ પોતાના ઘેર હતા, જે દરમિયાન તેના ઉપરના માળે જ રહેતા નિશાબેન જગદીશભાઈ ઘરમાં ધસી આવ્યા હતા, અને તેં અમારા ઘરના દરવાજા પર બહારથી સ્ટોપર શું કામ મારી દીધી હતી, તેમ કહી તકરાર કરી હતી.
જે દરમિયાન ભાવનાબેન અઘેડા આવી ગયા હતા અને બન્નેએ અપશબ્દો બોલી તેમજ ઢીકાપાટુનો માર મારીને અમારા મના દરવાજામાં સ્ટોપર મારીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી દીધી હતી.
આખરે આ મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે એડવોકેટ મીરાબેનની ફરિયાદના આધારે તેણીના કાકી અને પિતરાઈ બહેન સામે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનને તરસ્યું મરવાની નોબત આવી: જળાશયોમાં ફક્ત ૩૫ દિવસનું જ પાણી રહ્યું
May 08, 2025 11:25 AMખર્ચ કરવા માટે ઓછા પૈસા હોવાથી, ભારતના લોકોએ રોજિંદી જરૂરિયાતો ઓછી કરી : રિપોર્ટ
May 08, 2025 11:23 AMબ્લેકઆઉટ દરમિયાન જામનગર જિલ્લાના નાગરિકોએ દાખવ્યું સ્વયંભૂ શિસ્તનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
May 08, 2025 11:23 AMનીટ કૌભાંડ: રોયલ એકડમીના પેથાણીએ ચાર વાલીઓ પાસેથી પૈસા લીધાનું ખુલ્યું
May 08, 2025 11:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech