ભારતીય સૈનિકોની પ્રથમ બેચ માલદીવથી પરત આવી છે. આ સૈનિકોની જગ્યાએ ભારતના નાગરિક કર્મચારીઓએ જવાબદારી સંભાળી છે. મુઇઝુએ ૧૦ માર્ચે ભારતીય સૈનિકોની પ્રથમ ટુકડીને પાછી મોકલી દેવાનું નક્કી કયુ હતું. મુઇઝુને ચીન તરફી નેતા માનવામાં આવે છે. માલદીવના અડ્ડત્પમાં તૈનાત ભારતીય સૈનિકોનું પ્રથમ જૂથ ભારત પરત ફયુ છે. આ સૈનિકોએ ભારતના નાગરિક કર્મચારીઓને હેલિકોપ્ટર ઓપરેશન પણ સોંપ્યું છે. માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સના એક મીડિયા અધિકારીએ કહ્યું કે માલદીવમાં તૈનાત ભારતીય સૈનિકો હવે ભારત પાછા ગયા છે.માલદીવની સરકાર આને ચીન પ્રેમી રાષ્ટ્ર્રપતિ મોહમ્મદ મુઈઝુની જીત તરીકે પ્રમોટ કરી રહી છે. તેમણે ઈન્ડિયા આઉટ અભિયાનની મદદથી માલદીવની રાષ્ટ્ર્રપતિની ચૂંટણી જીતી હતી. મુઇઝુ રાષ્ટ્ર્રપતિ બન્યા ત્યારથી જ ભારતીય સૈનિકો પાછા મોકલી દેવા અંગે આક્રમક હતા. જોકે, બંને દેશો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત બાદ સૈનિકોની જગ્યાએ નાગરિક કર્મચારીઓને તૈનાત કરવા પર સહમતિ બની હતી.
નાગરિકો હવે એરક્રાટ અને હેલિકોપ્ટરનું સંચાલન કરશે
હેલિકોપ્ટર ચલાવવા માટે ભારતીય નાગરિક કર્મચારીઓની પ્રથમ ટીમ ૨૬ ફેબ્રુઆરીના રોજ અડ્ડત્પ પહોંચી હતી. તેણે ભારતીય સૈનિકો પાસેથી હેલિકોપ્ટર ચલાવવાની સંપૂર્ણ જવાબદારી પણ લીધી છે. આ નાગરિક કર્મચારીઓના પ્રથમ જૂથમાં ૨૬ લોકોનો સમાવેશ થાય છે. ભારતનું કહેવું છે કે સક્ષમ ટેકનિકલ કર્મચારીઓ માલદીવમાં તેના એરક્રાટ અને હેલિકોપ્ટરનું સંચાલન કરશે.યારે આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે માલદીવની સરકારે કહ્યું હતું કે તેઓ એ સુનિશ્ચિત કરશે કે કર્મચારીઓમાં માત્ર નાગરિકોનો સમાવેશ થાય છે. ભારત અથવા માલદીવની કોઈપણ સરકારી એજન્સીએ હજુ સુધી નાગરિક ટુકડીના ફોટા કે નામો જાહેર કર્યા નથી
ભારતે માલદીવમાં નવું હેલિકોપ્ટર પણ મોકલ્યું છે
ભારતે માલદીવમાં નવું હેલિકોપ્ટર પણ મોકલ્યું હતું અને સમારકામ માટે અડ્ડત્પમાં તૈનાત જૂના હેલિકોપ્ટરને પરત બોલાવ્યું હતું. નવા હેલિકોપ્ટરને લઈને જહાજ ૨૯ ફેબ્રુઆરીના રોજ અડ્ડત્પ પહોંચ્યું હતું. ભારતે માલદીવને બે હેલિકોપ્ટર, એક ડોર્નિયર એરક્રાટ અને એક ઓફશોર પેટ્રોલિંગ વેસલ ભેટમાં આપ્યું છે. આ જહાજો ભારતીય સૈનિકો દ્રારા સંચાલિત હતા.પરંતુ, મુઇઝુએ તેને માલદીવના સાર્વભૌમત્વ સાથે જોડી દીધું અને ભારતીય સૈનિકો સામે મોટા પાયે અભિયાન ચલાવ્યું. મુઈઝુએ જણાવ્યું હતું કે માલદીવમાં કુલ ૮૯ ભારતીય સૈન્ય કર્મચારીઓ છે. મુઈઝુએ ભારતીય સૈન્ય કર્મચારીઓના પ્રથમ જૂથને માલદીવ છોડવા માટે ૧૦ માર્ચ સુધીનો સમય આપ્યો હતો અને કહ્યું હતું કે ૧૦ મે સુધીમાં તમામ સૈનિકોની બદલી કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકારનો મોટો નિર્ણય, ભારતમાં કોઈપણ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે
May 10, 2025 05:14 PMભારત પાક યુદ્ધ પરિસ્થિતિ જામનગર ટાઉન હોલ વિસ્તારમાં વાગ્યું સાયરન
May 10, 2025 04:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech