”એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત અધિકારીઓ-પદાધિકારીઓ, કર્મચારીઓએ મળીને ૨૦૦ જેટલા વૃક્ષોનું એક સાથે વાવેતર કર્યું
વધતી જતી વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓના નિરાકરણ માટે નાગરિકો વૃક્ષારોપણ કરે અને વૃક્ષ જતનની નૈતિક જવાબદારી સ્વીકારે તે ખૂબ જરૂરી છે. પ્રકૃતિની રક્ષા અર્થે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા “એક પેડ માં કે નામ” અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજ રોજ મામલતદાર કચેરી ભાણવડ ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટમંત્રી મુળુભાઇ બેરા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓએ મળીને ૨૦૦ જેટલા વૃક્ષોનું એક સાથે વાવેતર કર્યું હતું.
આ તકે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ત્યારે પ્રકૃતિનું રક્ષણ કરવા માટે વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે. પરંતુ માત્ર વૃક્ષનું વાવેતર જ નહીં પરંતુ તેનું જતન કરવું પણ ખૂબ જ આવશ્યક છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસે "એક પેડ માં કે નામ" અભિયાન શરૂ કરાવ્યું અને દરેક નાગરિકોને પોતાના માતાને સમર્પિત એક વૃક્ષ વાવવા આહવાન કર્યું છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું કે, માત્ર વન વિભાગ જ નહીં પરંતુ જો દરેક નાગરિક જોડાઈને વૃક્ષનું વાવેતર કરે અને તેનું જતન કરે તો અવશ્ય આપણે હરિયાળું ગુજરાત બનાવી શકશું. દ્વારકા થી સોમનાથ કોસ્ટલ હાઈવેની બન્ને બાજુ વન વિભાગ અને સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે આશરે ૪૦,૦૦૦ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવશે. વધુમાં મંત્રીએ “એક પેડ માં કે નામ” અભિયાન હેઠળ આપણા ઘરે, ગામમાં, ખેતરના શેઢે, જાહેર સ્થળોમાં વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરવા અપીલ કરી હતી.
આ તકે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત તાલુકા વિકાસ અધિકારી નવીન બૈડીયાવદરા દ્વારા તેમજ આભારવિધિ આર.એફ.ઓ. પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે મામલતદાર અશ્વિન ચાવડા, ઇન્ચાર્જ ચીફ ઓફીસર રાહુલ કરમુર, અગ્રણી ગોવિંદભાઈ કનારા, કરણાભાઇ, જીતુભાઈ જોશી, હમીરભાઇ કનારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech