અરબી સમુદ્રમાં જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુકત પાણી વહાવવાનો પ્રોજેકટ રદ કરવાની માંગણી સાથે સાગરપુત્રોના જુનાબંદર વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી અને માચ્છીમારોએ પણ એવી ખાતરી આપી હતી કે અમે રામધુન બોલાવવાથી માંડીને આમરણાંત ઉપવાસ કરવા માટે પણ તૈયાર છીએ.
માચ્છીમાર એકતા સમિતિ ગુજરાત જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુકત ગંદુ પાણી પોરબંદર નજીકના નવીબંદરના ચીકાસા ગામના દરિયામાં આ ગંદુ પાણી શુદ્ધ કરી અને ઠાલવવાનો પ્રોજેક્ટ છે તેને રદ કરવા માટે માછીમાર એકતા સમિતિ ગુજરાતની ટીમ દ્વવારા માછીમાર ભાઈઓને જાગૃત કરવા માટે લકડી બંદર વિસ્તાર જૂની એ.સી.સી. કુબેર ક્રસરથી અસ્માવતી ઘાટથી પાલનો ચોક શહીદ ચોક નવાપાડા શીતળાચોક વિસ્તાર સુધી માચ્છીમાર ભાઈનો લોકસંપર્ક કરી જાગૃત કર્યા હતા જુના બંદર વિસ્તારમાં માચ્છીમાર ભાઈઓ સાથે ચર્ચા કરતા એવુ જાણવા મળ્યું હતું હાલમાં માચ્છીમાર ભાઈઓને દૂર દૂર સુધી જવું પડે છે અને અત્યારે પણ માછલીનો જથ્થો નહિવત મળે છે એવી પરિસ્થિતિ છે અને જો જેતપુરનું કેમિકલ યુક્ત પાણી પોરબંદરના નજીકના દરિયામાં ઠાલવવાનો પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવે એટલે માછીમાર ભાઈઓ આ વ્યવસાય મરણ પથારી એ આવી જાય તેવી પરિસ્થિતિ સર્જાય માછીમાર આગેવાન કિશોરભાઈ લોઢારી, પ્રવીણભાઈ બાદરશાહી, કારાભાઈ બાદરશાહી, સાજાભાઈ લોઢારી સાથે વાતચીત કરતા માછીમાર ભાઈઓની અનેક સમસ્યાઓ છે એમાંથી માછીમાર ભાઈઓ હજી બહાર નથી આવ્યા વર્ષો પેહલા જે પોરબંદરના બંદરનું નામ હતું આજે આ પોરબંદરનો એક માત્ર ફિશીગ ઉધોગ વધ્યો છે તે પણ જો આ જેતપુરનું કેમીકલ યુક્ત પાણી આવશે તો આ મચ્છી ઉધોગ મરણ પથારીમાં આવી જશે તેવું પણ માછીમાર આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું અને આ પ્રોજેક્ટને રદ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ફેર વિચારણા કરી અને માછીમાર ભાઈઓની વેદના પણ સમજવી જોઈએ અને જો ગુજરાત સરકાર જેતપુર પ્રોજેક્ટ રદ ના કરે ત્યારે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવા પડે જેમ કે અન સન ઉપર બેસવું પડે તો અન સન અને રામ ધૂન બોલાવી પડે તો રામ ધૂન જ્યાં સુધી જેતપુર પ્રોજેક્ટ રદ ના થાય ત્યાં સુધી માછીમાર એકતા સમિતિ ગુજરાત આરપાર ની લડાઈ લડવા મક્કમ છે તેવી યાદી માછીમાર એકતા સમિતિ ગુજરાત ના સભ્ય અશ્ર્વિન દેવજીભાઈ મોતીવરસ દ્વવારા જણાવ્યુ હતું. આ જનજાગૃતિ અભિયાનમાં પ્રતાપભાઈ શેરાજી, લાલજીભાઈ ગોશીયા,શૈલેષભાઇ જુંગી ભરત ભાઈ કરગઠીયા તેમની સાથે જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમંત્રી એસ.જયશંકર આવ્યા એક્શનમાં, 10 દેશોના વિદેશમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ
May 09, 2025 01:13 AMપાકિસ્તાની પાયલોટ ભારતીય કસ્ટડીમાં, પહેલી તસવીર સામે આવી
May 09, 2025 12:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech