૯૦ દિવસ ની અંદર નોટિસનો જવાબ ન આપનાર અનેક વેપારીઓને મિલકત જીની જીએસટી દ્રારા નોટિસ ફટકારવામાં આવતા વેપારી વર્ગમાં ભારે ઊહાપોહ મચી જવા પામ્યો છે. જીએસટી ના સૂત્રોએ જણાવ્યું હતું કે જીએસટી ની અમલવારી દરમિયાન વેપારીઓ દ્રારા બોગસ બીલીંગ કૌભાંડ આચારવામાં આવ્યું છે, આ માટે વેપારીઓના ડેટાની ચકાસણી કરવામાં આવ્યા બાદ સમન્સ આપવામાં આવ્યા હતા. તેમ છતાં આ સમન્સનો જવાબ નહીં આપતા જીએસટી વિભાગ દ્રારા કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત વેપારીઓની મિલકત ટાંચમાં લેવા માટેની નોટિસ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.જીએસટીની એનફોર્સમેન્ટ ટીમે આઇઆઇટી હૈદરાબાદ પાસેથી ડેટા મેળવ્યો હતો અને જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના ૧૦૦૦ જેટલા વેપારીઓને વર્ષ ૨૦૧૭ –૧૮ ના ખરીદ વેચાણના વ્યવહારો ના આધારે બાકીનું લેણું વસૂલવા માટે વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
તો બીજી તરફ વેપારીઓએ જણાવ્યું હતું કે સુકા ની પાછળ લીલું બળે તેવો ઘાટ અમારા વેપારીઓ માટે સર્જાયો છે જીએસટી વિભાગ દ્રારા પૂર્વ ચકાસણી વગર નોટિસ ફટકારવામાં આવતા વેપારીઓની મુસીબતમાં વધારો થયો છે જે તે સમયે માલ ખરીદી કરનાર વેપારી ઉપર બમણો ભાર આવી ગયો છે. વેચનાર વેપારીઓ નો નંબર રદ થઈ ગયેલો હોય અને નંબર બધં કરવામાં આવેલો હોય તેવા કિસ્સાઓમાં ખરીદનાર વેપારીઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે.વેપારીઓએ એક તરફ એવી રજૂઆત કરી હતી કે આ માટેના પુરાવા અમે રજૂ કર્યા હોવા છતાં પણ તત્રં આ વાતને ધ્યાનમાં લેતું નથી, ખરીદનાર વેપારી પાસે બિલ વજન ,કાંટા ,ચિઠ્ઠી, પેમેન્ટ ચૂકવ્યા ના પુરાવા આપ્યા હોવા છતાં ખરીદનાર વેપારીની ખરીદી માન્ય રહેતી નથી ત્યારે ડિપાર્ટમેન્ટ દ્રારા એક તરફી આદેશ કરીને લાખો પિયાનું માંગણું કાઢવામાં આવ્યું છે.
નોટિસ સામે વેપારીઓને ૧૦% રકમ ભરીને અપીલમાં જવું પડે છે હજુ સુધી વેટ વખતની અપીલ ની પ્રક્રિયા પણ પૂરી નથી થઈ ત્યારે જીએસટી ની નવી અપીલનો ભરાવો થઈ ગયો છે. જોકે આ બાબતે જીએસટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નિયમિત કાર્યવાહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 3 વિટામિનની ઉણપ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, સમયસર રાખો સાવચેતી
May 15, 2025 03:58 PMકમોસમી વરસાદથી ભાવ. જિલ્લામાં થયેલી નુકશાનીનો ખેતીવાડી વિભાગ ક્યાસ કાઢશે
May 15, 2025 03:57 PMઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ મામલે રજૂઆત થયાના પગલે સાંસદ નિમુબેન સિહોર દોડી ગયા
May 15, 2025 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech