શિવરાજપુરના બરાજપુર રેલ્વે સ્ટેશનના પશ્ચિમમાં ૪૫ નંબર ક્રોસિંગ પાસે રેલવે ટ્રેક પર મંગળવારે રાત્રે એક ખાલી ગેસ સિલિન્ડર મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. રેલવે પોલીસ અને જીઆરપીએ ગેસ સિલિન્ડરનો કબજો મેળવી તપાસ શ કરી છે.
ગઈકાલે એસપી જીઆરપીએ સ્થળ પર તપાસ હાથ ધરી હતી અને કેટલાક તોફાની તત્વોની સંડોવણીની શંકા હતી. ચાર મહિના પહેલા કાલિંદી એકસપ્રેસને સ્થળથી થોડે દૂર ટ્રેક પર ગેસ સિલિન્ડર મૂકીને પલટી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહીં મોટી દુર્ઘટના લગભગ ટળી હતી. ૯ સપ્ટેમ્બરની રાત્રે, શિવરાજપુરના બરાજપુર રેલવે સ્ટેશનથી મુડેરી ગામ નજીક, રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર મૂકીને કાલિંદી એકસપ્રેસને ઉથલાવી દેવાનું કાવતં ઘડવામાં આવ્યું હતું. આ ઘટનાની તપાસ બાદ પણ હજુ સુધી કઈં મળ્યું નથી. એનઆઈએએ તપાસમાં કોઈપણ આતંકવાદી ષડયંત્રનો ઈન્કાર કર્યેા હતો.
મંગળવારે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન, જીઆરપીને માહિતી મળી હતી કે સ્ટેશનથી પશ્ચિમમાં થોડે દૂર રેલવે ક્રોસિંગ નંબર ૪૫ પાસે રેલવે ટ્રેક પર પાંચ કિલોનો ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો છે. જીઆરપી ઘટનાસ્થળે પહોંચી અને ત્યાં રાખેલો ગેસ સિલિન્ડર મળ્યો. ગેસ સિલિન્ડર ખાલી અને કંઈક જૂનું લાગતું હતું પરંતુ ષડયંત્રની આશંકા સાથે જીઆરપીએ તપાસ શ કરી છે. સ્થળ પર એક ખાલી બોરી પણ પડેલી મળી આવી હતી. એવું માનવામાં આવે છે કે સિલિન્ડરને બોરીમાં જ લાવવામાં આવ્યો છે.
રેલવે ટ્રેક પર ફરી એકવાર ગેસ સિલિન્ડર મળી આવતા અધિકારીઓએ આ મામલાની સઘન તપાસ શ કરી છે. ક્રોસિંગની આસપાસના કેટલાક દુકાનદારોને આ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ કોઈ સુરાગ પુરાવો મળ્યો ન હતો. ગઈકાલે જીઆરપીના એસપી અભિષેક વર્મા અને ઈટાવા રેલવે પોલીસના એસીપી ઉદય પ્રતાપ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા અને ફોરેન્સિક ટીમ સાથે તપાસ કરી. તેણે કહ્યું કે આ ઘટનામાં કોઈ વ્યકિતએ મજાક કયુ હોવાનું બની શકે છે. સિલિન્ડરને પાટા પર રાખીને પોલીસ અને પ્રશાસનને હેરાન કરવા માટે આવું કરવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMગુજરાતમાં પાંચ IAS ઓફિસરોને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો, જુઓ લિસ્ટ
May 08, 2025 05:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech