શહેરના ઢેબર રોડ પર અટિકા ફાટક પાસે દુકાન ધરાવનાર વેપારી પાસેથી ગઠીયા 1.14 લાખનો સામાન ક્રેડિટ પર લઈ જઈ બાદમાં તેણે આ સામાન અન્ય દુકાનદારને વેચી નાખ્યો હતો. જે અંગે વેપારી દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, અંબિકા ટાઉનશીપ મારૂતિ એપાર્ટમેન્ટની બાજુમાં નાનામોવા રોડ પર રહેતા વિનોદ શામજીભાઈ વાઘેલા (ઉ.વ 41) નામના વેપારીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પરેશ લીંબાસીયા નામના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને ઢેબર રોડ પર અટિકા ફાટક સામે પ્રભાત નટબોલ્ટ નામની દુકાન આવેલી છે.
ગઈ તા. 17/3/ 2025 ના સવારના 11:00 વાગ્યા આસપાસ તેઓ દુકાને હાજર હતા ત્યારે અગાઉ બે થી ત્રણ વખત છૂટક માલ લઈ રોકડમાં પૈસા ચૂકવી જનાર પરેશ લીંબાસીયા અહીં આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, હાલ ચલણમાં માલ આપો હું તમને તા. 22/3/2025 ના જીએસટી નંબરની વિગત આપીશ ત્યારે સાથે બીલ બનાવી આપજો એટલે એક સાથે હું તમને બધા પૈસા ચૂકવી દઈશ. આમ કહી તેણે કુલ રૂપિયા1,14,814 નો સામાનનો ઓર્ડર આપ્યો હતો જે વેપારીએ તેને મોકલી આપ્યો હતો.
બાદમાં તા. 22/3 ના વેપારીએ તેને ફોન કરતા તે ફોન ઉપાડતો ન હોય જેથી તેણે જણાવેલ સરનામે દાતર એન્ટરપ્રાઇઝ રેલનગર મેઇન રોડ શ્રીજી સોસાયટી શેરી નંબર-૩ માં જઈ તપાસ કરતા અહીં આવી કોઈ વ્યક્તિ રહેતી ન હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં વેપારીએ જ્યાં માલ ઉતારવામાં આવ્યો હતો તે ચામુંડા નટ બોલ્ટ ઢેબર રોડ માલધારી ફાટક પાસેના દુકાનદાર દિલીપભાઈ મકવાણા સાથે ફોનમાં વાત કરતા તેણે કહ્યું હતું કે, તેમની દુકાને પરેશભાઈ હસ્તક માલ આવ્યો છે અને આ બધા જ સામાનના પૈસા તેણે પરેશભાઈને આપી દીધા છે. આમ પરેશ લીંબાસીયા નામના શખસે વેપારી પાસેથી ક્રેડિટમાં રૂપિયા 1.14 લાખનો માલ મેળવી લઈ અન્ય વેપારીને વેચી દઇ છેતરપિંડી-વિશ્વાસઘાત કરતા આ મામલે તેમણે ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાયરન વાગતાની સાથે જ શહેરમાં થશે બ્લેકઆઉટ
May 07, 2025 05:50 PMત્રીજા દિવસે વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસી રહેલા વરસાદથી પાણી ભરાયા
May 07, 2025 05:46 PMમારા પતિ-પુત્રને સાચો ન્યાય મળ્યો -કાજલબેન પરમાર
May 07, 2025 05:42 PMજામનગરમાં યુધ્ધની પરિસ્થિતિમાં હુમલો થાય ત્યારે બચાવ કામગીરી અંગે મોકડ્રીલ યોજાય
May 07, 2025 05:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech