શિક્ષણ બોર્ડ દ્રારા આ વર્ષથી પૂરક પરીક્ષા ની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેના લીધે લાખો વિધાર્થીઓને ફાયદો થશે, જેમાં ધોરણ ૧૦મા ગત માર્ચ ૨૦૨૩ માં બેઝિક ગણિત વિષયમાં પાસ થયેલા અને અગાઉના વર્ષમાં બે કે ત્રણ વિષયમાં નાપાસ થયેલા ધોરણ ૧૦ ના પરીક્ષાર્થીઓને આગામી ૨૦૨૪ માં લેવાનારી પુરક પરીક્ષામાં તક આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
બોર્ડના સભ્યો દ્રારા એવી રજૂઆત કરવામાં આવી છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા વર્ષ ૨૦૨૩ માં ધોરણ ૧૦ ની પરીક્ષામાં પાસ થયેલા પરીક્ષાર્થીઓને જુન ૨૦૨૩ થી ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં સ્ટાન્ડર્ડ ગણિત વિષય પાસ કરવાની શરતે પ્રવેશ મળ્યો છે. પરંતુ કોઈ કારણસર ગત જુલાઈ ૨૦૨૩ ની પૂરક પરીક્ષામાં અમુક વિધાર્થીઓ હાજર રહી શકયા ન હતા.
માર્ચ ૨૦૨૪ ની પરીક્ષામાં આ પરીક્ષાથીઓને સ્ટાન્ડર્ડ ગણિત વિષયની પરીક્ષા આપવા તક મળી નથી, પરીક્ષાાર્થીઓને માર્ચ ૨૦૨૪ની ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના આવેદન પત્ર ભરી શકે નહીં માટે આવા પરીક્ષાર્થીઓને તેમજ આ વર્ષથી ધોરણ ૧૦ માં ત્રણ વિષયમાં નાપાસ થયેલા પરીક્ષાથીઓ પણ પૂરક પરીક્ષા આપી શકે છે ત્યારે ગત વર્ષે તેનાથી અગાઉના વર્ષમાં નપાસ થયેલા વિધાર્થીઓને પણ આગામી જુન ૨૦૨૪ માં લેવાનારી પૂરક પરીક્ષાના આવેદન ભરવાની છૂટ મળે તેવી રજૂઆત ઉઠી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech