શોભાયાત્રા સહીતના કાર્યક્રમો યોજાયા
બૌદ્ધ સમાજ, જામનગર દ્વારા પ્રમુખ મિલિન્દકુમાર મકવાણાની આગેવાની હેઠળ વિશ્વ શાંતિદુત તથાગત ભગવાન ગૌતમ બુદ્ધની ૨૫૬૮મી જન્મ જયંતિ નિમિતે જામનગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી.
આ શોભાયાત્રા જુના રેલ્વે સ્ટેશન, મહાત્મા જ્યોતિબા ફુલે ચોકથી સાંજે ૪:૩૦ કલાકે પ્રસ્થાન થયેલ હતી, જેમાં બુદ્ધરૂપ તથા તૈલચિત્ર સાથે અશ્ચરથમાં બિરાજમાન કરેલ હતી, જેમાં આગળ લેજીમ સંઘ સાથે બૌદ્ધ ઉપાસક - ઉપાસિકાઓ ચાલતા હતા અને બૌદ્ધધમ્મ કી કયા પહેચાન, માનવ - માનવ એક સમાન, બુદ્ધમ શરણમ ગચ્છામી, ધમ્મશરણમ ગચ્છામી, સંઘમ શરણમ ગચ્છામીના નાદ સાથે શહેરના મુખ્ય રાજમાર્ગો પર પસાર થઇ હતી, જે સાંજના ૭:૦૦ કલાકે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, લાલ બંગલા સર્કલે પહોંચી હતી, જ્યાં વંદન સભામાં પરિવર્તીત થયેલ હતી.
આ કાર્યક્રમમાં મંત્રી મનજીભાઈ કે. મકવાણાએ નેશનલ બ્રધર્સ હુડના રમેશભાઈ ઝેન, એડવોકેટ એન.વી. ગોહિલ તથા બૌદ્ધ સમાજના પ્રમુખ મિલિન્દકુમાર મકવાણાએ બૌદ્ધ ધર્મ વિશે પ્રાસંગિક પ્રવચનો કરેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech