ખંભાળિયામાં જડેશ્વર રોડ ઉપર આવેલી જડેશ્વર હાઉસિંગ સોસાયટી ખાતે આગામી રવિવાર તારીખ 30 માર્ચથી શનિવાર તારીખ 5 એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ (સમૂહ સપ્તાહ)નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી જડેશ્વર હાઉસિંગ સોસાયટી દ્વારા આયોજિત આ સમૂહ સપ્તાહમાં વ્યાસપીઠ પર જાણીતા શાસ્ત્રી શ્રી ચિરાગભાઈ શુક્લ બિરાજીને કથામૃતનું રસપાન કરાવશે. આ સપ્તાહમાં રવિવારે સવારે 10:30 વાગ્યે પોથીયાત્રા, સોમવારે સાંજે કપિલ પ્રાગટ્ય, મંગળવાર તા. 1 ના રોજ સાંજે નૃસિંહ પ્રાગટ્ય, બુધવાર તા. 2 ના રોજ રામ જન્મ, કૃષ્ણ જન્મ તથા નંદ મહોત્સવ, ગુરુવાર તા. 3 ના રોજ બાળલીલા અને ગોવર્ધન લીલા સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ સપ્તાહમાં દરરોજ બપોરે ત્રણ થી સાંજે સાત વાગ્યા સુધી કથા શ્રવણનો લાભ લેવા આયોજક શ્રી જડેશ્વર હાઉસિંગ સોસાયટી તેમજ મુખ્ય યજમાન બીમલભાઈ હરિદાસભાઈ મપારા (મપારા મંડપ સર્વિસ) દ્વારા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅજિત ડોભાલે યુએસ એનએસએને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી
May 07, 2025 11:55 AMઅમરેલીના વૈદ સાથે સબંધીઓએ 53 લાખની છેતરપીંડી આચરી
May 07, 2025 11:51 AM'ઓપરેશન સિંદૂર': ભારતે પાકિસ્તાનના આ 9 સ્થળોને કેમ નિશાન બનાવ્યા?
May 07, 2025 11:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech