વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો મંગળવારે મતદાન કરશે ગુજરાતમાં બે દિવસ માટે ૧૪ થી વધારે લોકસભા અને પાંચ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો માટે પ્રચાર સભા ગજવીને દિલ્હી ગયેલા વડાપ્રધાન ફરી મંગળવારે સવારે મતદાન કરવા માટે અમદાવાદ આવશે. અત્રે નોંધવું જરી છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ માટે દિગ્ગજ નેતાઓ ગુજરાતમા મતદાન કરશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના રાયપાલ આનંદીબેન પટેલ ગુજરાત રાયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો મતદાન કરશે.
લોકસભા ચૂંટણી ૨૦૨૪ ના ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ગુજરાત સહિત બાર રાયોની ૯૫ બેઠકો માટે મંગળવારે મતદાન થનાર છે સવારે સાતથી સાંજના છ દરમ્યાન યોજાનાર મતદાન માટે વડાપ્રધાન સહિતના નેતા તેમના નોધાયેલા નામની જગ્યા પર જઇ મતદાન કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર લોકસભા મત વિસ્તારના રાણીપ માં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન મથકની મતદાર યાદીમાં નામ છે આથી તેઓ અમિત શાહ માટે મતદાન કરશે. વડાપ્રધાન મોદી સવારે ૭:૦૦ વાગ્યા બાદ દિલ્હી થી સીધા અમદાવાદ પહોંચશે અને ત્યાંથી મતદાન મથકે પહોંચીને મતાધિકારનો ઉપયોગ કરીને સીધા અન્ય રાયના ચૂંટણી પ્રવાસે જશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સવારે ૧૦:૦૦ વાગ્યે નારણપુરા અંકુર ખાતે આવેલા મતદાન મથક પર મતદાન કરી પોતાના મતવિસ્તારનો રાઉન્ડ લઈને તેઓ અન્ય રાયના પ્રચાર પ્રવાસે નીકળી જશે.
ઉત્તર પ્રદેશના રાયપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ શીલજ ગામ ખાતે મતદાન કરશે યારે નવસારી લોકસભાના મતદાર તરીકે મધ્યપ્રદેશના રાયપાલ મંગુભાઈ પટેલ મતદાન કરવા નવસારી આવશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા તેમના ગામ હણોલ ખાતે મતદાન કરશે પોરબંદરના ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદર ખાતે મતદાન કરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નવસારી ખાતે મતદાન કરશે. અત્રે નોંધવું જરી છે કે ગુજરાતમાં રાયસભાનું પ્રતિનિધિત્વ કરેલા કરી રહેલા ભાજપના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હિમાચલ પ્રદેશ ખાતે અને વિદેશ મંત્રી એસ જયશંકર નવી દિલ્હી ખાતે મતદાર તરીકે નોંધાયેલા હોવાથી આ બંને નેતાઓ ગુજરાત આવવાના નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅહી પક્ષી ઘરમાં પક્ષીઓની આવી રીતે રાખવામાં આવી રહી છે સાર સંભાળ!
May 18, 2024 11:56 AMજૂનાગઢ: જવેલર્સનો મેનેજર ૯૧ લાખનું સોનું ઓળવી ગયો
May 18, 2024 11:25 AMજામનગર: કાળઝાળ ગરમીમાં ગ્રેઇન માર્કેટના મજૂરોની હાલત જાણો
May 18, 2024 11:22 AMકેશોદમાં અસહ્ય વેરા મામલે હિતરક્ષક સમિતિ દ્વારા ભૂખ હડતાલ
May 18, 2024 11:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech