જેતપુર તાલુકાના રબારીકા ગામે પિતૃકાર્યના હવનમાં બીજા ગોરને બોલાવાની યજમાન સોની બોલાચાલીમાં ગોર મહારાજના ધક્કાી યજમાનના મોતના બનાવમાં ઉદ્યોગનગર પોલીસે મૃતકના પુત્રની ફરીયાદ પરી ગોર સામે ગેર ઇરાદે હત્યાનો ગુન્હો નોંધી તેની ધરપકડ કરી હતી.
તાલુકાના રબારીકા ગામે રહેતા ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો આજે ગામમાં એક હવન કરી રહ્યાં હતા. જેમાં હવનમાં યજમાન તરીકે રવજીભાઈ રાઠોડ નામના સેવાભાવી વૃદ્ધ સેવા બજાવતા હતાં. જેમાં હવન ચાલુ હતું તે દરમિયાન રાજકોટ રહેતા અમૃતલાલ દવે ગોર કે જે રબારીકા ગામના ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરવાનું કામ કરતાં હતા. તેઓ હવન સ્ળે આવી બોલાચાલી કરવા લાગ્યાં આ વયોવૃદ્ધ ગોરને ગામ લોકોએ જણાવેલ કે, તમો અમોને હવનના કર્મકાંડના ૧૧ હજાર કિધેલ જે અમોને પરવડે તેમ ન હોવાી અમોએ ઓછી દક્ષિણા લેતા બીજા ગોરને બોલાવવા પડ્યા. જે વાતી અમૃતલાલ દવે ગુસ્સે ભરાય યજમાન રવજીભાઈ સો ગાળાગાળી કરી તેનો ધક્કો મારતાં રવજીભાઈ ઘરમાં રહેલ પાણીયારાની પથ્રની પાટ સો તેનું માું ટકરાતા તેને માાના પાછળના ભાગે ઇજા પહોંચતા તેઓ બેભાન ઈ ગયાં.
જેી તેઓને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ લાવતા ફરજ પરના ડોકટરે રવજીભાઈને મૃત જાહેર કર્યા હતાં. સામાન્ય બાબતે બોલાચાલીનો બનાવ યજમાનના મોતમાં પરિણમતા પોલીસે મૃતકના મોતનું સચોટ કારણ જાણવા ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડીકલ કોલેજ ખાતે મૃતદેહ મોકલવામાં આવ્યો હતો. બીજીબાજુ પોલીસે મૃતક રવજીભાઈના પુત્ર હિતેશની ફરીયાદ પરી અમૃતલાલ દવે ગોર સામે ગેર ઇરાદે હત્યાની આઈપીસી ૩૦૪ હેઠળ ગુન્હો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech