કરણ જોહર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્દેશક અને ટેલિવિઝન પર્સનાલિટી છે. સાથે જ ફિલ્મમેકર કરણ જોહર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે અને તેઓ સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ છે. એવામાં કરણ જોહર ફરી એકવાર એમની પોસ્ટથી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.'કોફી વિથ કરણ' શો ઘણો ફેમસ છે જેમાં ઘણા સ્ટાર્સ ભાગ લે છે, લોકો તેમના કોમેડી શોમાં આ શોની નકલ કરતા જોવા મળે છે. હાલમાં જ કરણ જોહરે કહ્યું કે આવું બધુ જોઈને એમને ગુસ્સો નહીં પરંતુ દુઃખ થાય છે.
ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી
જાણીતું છે કે કરણનો શો 'કોફી વિથ કરણ' ઘણો ફેમસ છે જેમાં ઘણા સ્ટાર્સ ભાગ લે છે. હવે સ્થિતિ એવી છે કે લોકો તેમના કોમેડી શોમાં કરણ જોહર અને તેના શોની નકલ કરતા જોવા મળે છે. હાલમાં જ કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે જેમાં એમને કહ્યું કે આવું બધુ જોઈને એમને ગુસ્સો નથી આવતો પરંતુ દુઃખ થાય છે.
કરણ જોહરે તેની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું કે, 'હું મારી માતા સાથે ટીવી જોઈ રહ્યો હતો, જ્યારે એક સારી ચેનલ પર રિયાલિટી કોમેડી શોનો પ્રોમો આવી રહ્યો હતો. આ કોમેડી પ્રોમોમાં મારી ખૂબ જ ખરાબ નકલ કરવામાં આવી છે... હું ટ્રોલર્સ, જે લોકો પોતાનો ચહેરો અથવા નામ છુપાવીને આવું કરે છે અથવા જેઓ ઈન્ડસ્ટ્રીની બહાર છે તેમની પાસેથી આની અપેક્ષા રાખી શકું છું. પરંતુ જ્યારે તે લોકો જે ઇન્ડસ્ટ્રીના તેઓ મજાક ઉડાવે છે એ પણ તેની જે 25 વર્ષથી વધુ સમયથી આ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. આ તે બતાવે છે કે આપણે આ સમયમાં કેવી રીતે જીવી રહ્યા છીએ. આ જોઈને મને ગુસ્સો નથી આવતો પણ ઘણું દુઃખ થાય છે.'
કરણ જોહરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને નેટીઝન્સ એ અનુમાન લગાવવામાં વ્યસ્ત છે કે ફિલ્મ નિર્માતા કયા કોમેડિયનને નિશાન બનાવી રહ્યા છે. જો કે ઘણા કહી રહ્યા છે કે આ પોસ્ટ એક કોમેડી શોની છે જેમાં કોમેડિયન કેતને કરણના શોને 'ટોફી વિથ ચુરણ' કહીને તેની મજાક ઉડાવી હતી.
જો કરણ જોહરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મમેકરની છેલ્લી ફિલ્મ 'યોદ્ધા' હતી. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, રાશિ ખન્ના અને દિશા પટણી મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. પરંતુ મોટા બજેટની યોદ્ધા ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધવિરામ બાદ ટ્રમ્પે પોસ્ટ કરી લખ્યું કે શું હવે કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે કે નહી?
May 11, 2025 11:03 AMજાણો પાકિસ્તાને સિઝફાયર તોડ્યા પછી દેશના જુદા જુદા રાજ્યોમાં શું સ્થિતિ હતી
May 11, 2025 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech