ચેન્નાઈની પીચ સ્પિનરો માટે મદદરૂપ માનવામાં આવે છે અને તેથી ટીમ ઈન્ડિયા મોટાભાગે અહીં ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરે છે. ટીમે બાંગ્લાદેશ સામે આવું કર્યું ન હતું અને માત્ર બે સ્પિનરો સાથે જવાનું નક્કી કર્યું હતું. કુલદીપ યાદવને ટીમમાં સ્થાન ન મળ્યું, જેના કારણે પૂર્વ ભારતીય બેટ્સમેન સંજય માંજરેકર ખૂબ નારાજ થઈ ગયા છે.
બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ માટે આજે જ્યારે રોહિત શર્માએ પ્લેઈંગ-11ની જાહેરાત કરી ત્યારે બધાને આશ્ચર્ય થયું. આ ટીમમાં કુલદીપ યાદવનું નામ ન હતું. ચેન્નાઈની પીચને જોતા ભારત ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરે તેવી અપેક્ષા હતી પરંતુ એવું બન્યું નહીં અને કુલદીપની જગ્યાએ આકાશદીપને ટીમમાં સામેલ કરવામાં આવ્યો. કુલદીપને ટીમની બહાર જોઈને પૂર્વ ભારતીય બેટ્સમેન સંજય માંજરેકર ખૂબ ગુસ્સે થયા છે.
ચેન્નાઈની પીચ સ્પિનરો માટે મદદરૂપ માનવામાં આવે છે. અહીં હંમેશા સ્પિનરોનો દબદબો રહ્યો છે. ભારતે અગાઉ વર્ષ 2021માં અહીં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમી હતી અને તે મેચમાં પણ ત્રણ સ્પિનરો રમ્યા હતા. આ વખતે પણ એવી જ અપેક્ષા હતી જે પૂરી થઈ નથી. ટીમે ત્રણ ફાસ્ટ બોલર સાથે જવાનું નક્કી કર્યું જે ઘણા અનુભવીઓની સમજની બહાર છે.
સંજય માંજરેકરે વ્યક્ત કરી નારાજગી
પ્લેઈંગ-11માં બે સ્પિનરો અને કુલદીપનું નામ ન જોઈને પૂર્વ ભારતીય બેટ્સમેન સંજય માંજરેકર ગુસ્સે થઈ ગયા. તેણે ટીમ મેનેજમેન્ટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરતાં તેમણે લખ્યું, "ભારત કુલદીપ યાદવને કેટલી સરળતાથી ટીમમાંથી બહાર કરી દે છે તે જોઈને હું આશ્ચર્યચકિત છું."
કુલદીપ યાદવે તેની છેલ્લી ટેસ્ટ મેચ આ વર્ષે માર્ચમાં ઈંગ્લેન્ડ સામે ધર્મશાલામાં રમી હતી. કુલદીપે આ મેચમાં કુલ સાત વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ ઈનિંગમાં પાંચ અને બીજી ઈનિંગમાં બે વિકેટ ઝડપી હતી.
આકાશદીપને મળી તક
ભારતે આ મેચમાં ત્રણ સ્પિનરોને બદલે ત્રણ ફાસ્ટ બોલર સાથે જવાનો નિર્ણય કર્યો હતો. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશદીપને ટીમમાં સ્થાન મળ્યું છે. આકાશદીપ તેની બીજી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તેણે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ આ વર્ષે ફેબ્રુઆરીમાં રાંચીમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. દુલીપ ટ્રોફીમાં જોરદાર પ્રદર્શન બાદ તેને ટીમમાં જગ્યા મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતમામ અર્ધલશ્કરી દળોની રજા રદ આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઇ એલર્ટ
May 07, 2025 03:07 PMઓબેસિટી ફ્રી ગુજરાતની થીમ પર મહાપાલિકા દ્વારા સોમવારે ૧૦ કિલોમીટરની સાયક્લોથોન
May 07, 2025 03:03 PMયાર્ડની જે.કે.ટ્રેડિંગ પેઢીએ રૂ.૧૭.૧૯ કરોડનું ફુલેકુ ફેરવ્યું
May 07, 2025 02:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech