લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ પાલા વાંધાજનક ટિપ્પણીના પગલે છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં છે. પરશોત્તમ પાલા સામે ક્ષત્રિય સમાજે વિરોધ દર્શાવ્યો છે. ત્યારે રાજકોટમાં પરશોત્તમ પાલાના સમર્થનમાં પોસ્ટર લગાવામાં આવ્યા છે.
પાટીદાર વિસ્તારમાં આવેલી અંબિકા ટાઉનશીપમાં પરશોત્તમ પાલાના સમર્થનમાં પોસ્ટર લગાવ્યા છે. હત્પં પરશોત્તમ પાલા સાથે છું તેવા પોસ્ટરો લાગ્યા છે. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પાટીદાર યુવકોએ પરશોત્તમ પાલાના સમર્થનમાં પોસ્ટર લગાવ્યા છે. અંબિકા ટાઉનશીપની સાથે બીજી અનેક સોસાયટીઓના રહીશો પણ પાલાના સમર્થનમાં જોડાયા છે. તો સ્થાનિકોએ જણાવ્યુ કે પરશોત્તમ પાલાની ટિકિટ રદ્દ ના થવી જોઈએ.
પરસોતમ પાલા મામલે અત્યાર સુધી ચૂપચાપ રહેલા પાટીદાર સમાજ હવે પાલાના સમર્થનમાં મેદાનમાં આવ્યો છે. મીટીંગો સભા સહી ઝુંબેશ જેવા કાર્યક્રમો શ કરી દીધા છે અને આગામી દિવસોમાં તે વધુ પ્રભાવક બનાવવાની દિશામાં પણ પ્લાનિંગ થઈ રહ્યું હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech