આ રીતે, ભારતનો સમાવેશ એવા પસંદગીના દેશોમાં થશે, જે દેશભરના શહેરોમાં કટોકટી સેવાઓ માટે અનિયંત્રિત ટ્રાફિકનો ઉકેલ પૂરો પાડી શકશે. એર એમ્બ્યુલન્સ સેવા દ્વારા ગંભીર સ્થિતિમાં દર્દીઓને સમયસર સારવાર મળી શકશે.
એર એમ્બ્યુલન્સ સેવા પ્રદાતા આઇસીએટીટી ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ (ઇવીટીઓએલ) વિમાન તૈનાત કરશે, જેનાથી પ્રદૂષણ પણ નહીં થાય. ઇવીટીઓએલએ બેટરીથી ચાલતા વિમાન છે જે ઊંચાઈએથી ઉડાન ભરી અને ઉતરી શકે છે.
૨૦૨૬ ના અંત સુધીમાં ઈ-પ્લેન દ્વારા વાણિજ્યિક ફ્લાઇટ્સ શરૂ થઈ શકે છે. 'ઈ-પ્લેન કંપની'ના સ્થાપક સત્ય ચક્રવર્તીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે એક વર્ષમાં ઈ-પ્લેનના 100 યુનિટનું ઉત્પાદન કરવામાં આવશે.
આ વિમાન ૧૧૦ કિમી થી ૨૦૦ કિમી સુધીનું અંતર કાપી શકે છે. ઇ-પ્લેને અત્યાર સુધીમાં રોકાણકારો પાસેથી 20 મિલિયન ડોલર એકત્ર કર્યા છે. આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર ચક્રવર્તીએ જણાવ્યું હતું કે વધુ પ્રોટોટાઇપ બનાવવા માટે વધુ ભંડોળની જરૂર પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech