રાજકોટના સોની બજાર સ્થિત ઇશ્ર્વર આંગડિયા પેઢી સાથે .૭૨ લાખની છેતરપિંડી થયા અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ શખસો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ અંગે કાવત રચી છેતરપિંડી કરવા અંગે ગુનો નોંધાયો છે.
સોની બજારમાં દરબારગઢ ચોક ઓર્નામેન્ટ આર્કેટ ૧૦૫ પહેલા માળે આવેલી ઈશ્વર સોમાં આંગડિયા પેઢીમાં ૧૦ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરનાર અને અહીં જ રહેતા મૂળ મહેસાણા જિલ્લાના બલોલ ગામના વતની મોરારભાઈ ગોરધનદાસ પટેલ (ઉ.વ ૬૭) દ્રારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પૃથ્વીરાજ કોઠારી, વિશાલ અને રમેશ મહેતાના નામ આપ્યા છે.
મોરારભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા. ૨૧૧ ના સાંજના ચારેક વાગ્યે આસપાસ તે તથા તેમના શેઠ જૈમીનભાઇ અહીં આંગડિયા પેઢી હતા ત્યારે જૈમીનભાઇ પર તેમના પરિચિત વિજયભાઈ જાગાણી જે સોનાના દાગીના બનાવવાનું કામકાજ કરે છે તેનો ફોન આવ્યો હતો અને જૈમીન ભાઈને કહ્યું હતું કે, મારી જાણીતી પાર્ટીનો ફોન આવ્યો છે કે તેમને દિલ્હી પિયા ટ્રાન્સફર કરવાના છે તેનું કામ તમે કરી આપજો અને કમિશન અને ખર્ચેા ઓછો લેજો તેવું કહ્યું હતું તેના નંબર જૈમીનભાઇને વોટસએપ પર મોકલ્યા હતા. થોડીવાર બાદ જૈમીનભાઇએ વાત કરતા સામે કોઈ વ્યકિત હિન્દીમાં વાત કરતું હતું અને તેણે પોતાનું નામ પૃથ્વીરાજ કોઠારી જણાવી કહ્યું હતું કે, મારે ૭૨ લાખ દિલ્હી ચાંદની ચોક ખાતે મોકલી આપજો અને જે માટે વિગતમાં લેનાર વ્યકિતનું નામ વિશાલ આપ્યું હતું અને કહ્યું હતું કે, થોડીવારમાં મારો માણસ તમારી રાજકોટ ખાતેની ઓફિસે આવી રોકડ પિયા જમા કરાવી જશે તેવી વાત કરી હતી. જેથી ફરિયાદીના શેઠ જૈમીનભાઇએ દિલ્હી ખાતે આવેલ ઈશ્વર સોમા આંગડિયા પેઢીમાં આ વિગત લખાવી હતી અને થોડીવારમાં અહીંથી ફોન આવ્યો હતો કે પૃથ્વી કોઠારીનું આંગડીયુ લેવા વિશાલ નામનો માણસ સાંજના સાડા પાંચેક વાગ્યે આવ્યો હતો અને રોકડ પિયા ૭૨ લાખ મેળવી લીધેલ છે. જેનું સીસીટીવી રેકોડિગ અમારી પાસે છે.
ત્યારબાદ આ પૃથ્વી કોઠારીને ફરિયાદીના શેઠે વોટસએપ કોલ કરી કહ્યું હતું કે, હજુ તમારો રમેશ મહેતા નામનો માણસ મારી પાસે રોકડ પિયા ૭૨ લાખ જમા કરાવવા આવ્યો નથી જેથી પૃથ્વીએ કહ્યું હતું કે રમેશ મહેતા નીકળી ગયા છે અને થોડીવારમાં આંગડિયા પેઢીએ પહોંચશે પરંતુ તેમ છતાં અહીં કોઈ પૈસા જમા કરાવવા આવ્યું ન હોય જયમીનભાઇએ પૃથ્વી કોઠારીને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો ત્યારબાદ વિશાલને ફોન કરતા વિશાલનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.
બાદમાં ફરિયાદીના શેઠે તેમના પરિચિત વિજયભાઈને ફોન કરી તેઓ બ સાંજના સમયે તેમની ઓફિસ રણછોડનગર ખાતે મળવા ગયા હતા. યાં વિજયભાઈએ પૃથ્વીરાજ કોઠારીની તપાસ કરતા તેની ઓફિસ મુંબઈ ખાતે હોય ત્યાં તપાસ કરતા પૃથ્વી કોઠારી અગાઉ પણ ઘણા બધા માણસોને સાથે આ પ્રકારે છેતરપિંડી કરી હોવાનું માલુમ પડું હતું. ફરિયાદીના શેઠ બહારગામ ગયા હોય જેથી આ બાબતે તેમના મેનેજર દ્રારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેમની આંગડિયા પેઢી સાથે પિયા ૭૨ લાખની કાવતં રચી છેતરપિંડી કરવા અંગે આ ફરિયાદ ત્રણેય શખસો વિદ્ધ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech