આજ સવારથી કોર્પોરેશન દ્વારા બગીચા માટે રખાયેલી જગ્યા ઉપર થયેલા બાંધકામ દુર કરવાની કાર્યવાહી કરાઇ: મજબુત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો: મોટાભાગના લોકોએ શટર અને અન્ય વસ્તુઓ લઇ જઇ પોતાની મેળે કેટલુંક બાંધકામ દુર કર્યુ
જામનગર કોર્પોરેશન હસ્તકની જમીન ઉપર કેટલાક આસામીઓએ ગેરકાયદેસર બાંધકામ કરીને દુકાનો બનાવી લીધી હતી, મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં 45 દુકાનો ગેરકાયદેસર બની હતી જે ખાલી કરવા માટે તા.8 ફેબ્રુઆરી સુધી કોર્પોરેશને મુદત આપી હતી જેમાં કેટલાક લોકોએ દુકાનનો કેટલોક માલ-સામાન અને શટર પોતાની મેળે કાઢી નાખ્યા હતાં, પરંતુ બગીચા માટે અનામત રખાયેલી આ જમીનને ખુલ્લી કરવા માટે કોર્પોરેશને આજે સવારથી જ આ તમામ દુકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી શ કરી દીધી છે અને સાંજ સુધીમાં તમામ દુકાનો તોડી પાડવામાં આવશે.
જાણવા મળતી માહિતી મુજબ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ વચ્ચે મીટીંગ યોજાઇ હતી અને જામનગર શહેરમાં જયા-જયાં ગેરકાયદેસર બાંધકામો થયા છે ત્યાં બુલડોઝર ફેરવી નાખવા માટે ચચર્-િવિચારણા થઇ હતી, મહાપ્રભુજીની બેઠક પાસે જમીનનો એક મોટો પ્લોટ બાગ-બગીચા માટે કોર્પોરેશને રિઝર્વ રાખ્યો હતો, પરંતુ 45 જેટલા આસામીઓએ આ પ્લોટ ઉપર પોતાની મેળે કોઇને પુછયા વિના બાંધકામ કરી દીધું હતું.
કોર્પોરેશન દ્વારા આ તમામ ગેરકાયદેસર બાંધકામ તોડી નાખવા તા.8-2-25 સુધીનો સમય આપવામાં આવ્યો હતો જેની સમય મયર્દિા પુરી થઇ ચુકી છે ત્યારે કોર્પોરેશને આજ સવારથી જ બાકી રહેલી આ તમામ દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાની કાર્યવાહી હાથ ધરી છે. મ્યુ.કમિશ્નર અને એસપીની સીધી સુચનાથી એસ્ટેટ શાખાના ક્ધટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા, નિતીન દીક્ષીત, સુનીલ ભાનુશાળી, ટીપી-ડીપીના કેતન કટેશીયા, પીઆઇ નિકુંજ ચાવડા સહિતના સ્ટાફે આજે સવારથી જ મહાપ્રભુજી બેઠક વિસ્તારમાં પાડતોડની કાર્યવાહી વખતે હાજર રહીને માર્ગદર્શન આપ્યું હતું, અધિકારીઓના જણાવ્યા મુજબ સાંજ સુધીમાં આ તમામ બાંધકામો દુર કરી દેવામાં આવશે, આમ કોર્પોરેશનને હવે બગીચો બનાવો છે ત્યારે તે જગ્યા ખુલ્લી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech