ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથ મંદિર મેઘનાદ પચેરીની દિવાલમાં તિરાડ પડી છે. સરકારે પુરી જગન્નાથ મંદિરમાં પડેલી તિરાડોને રીનોવેશન કરવાની વાત કરી છે. આ માટે તેણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની મદદ માગી છે. મંદિરમાં પડેલી તિરાડો અંગે સેવકોએ ચિંતા વ્યક્ત કરી છે. મંદિરની દીવાલોમાંથી ગંદુ પાણી વહી રહ્યું છે. આ ગંદુ પાણી આનંદબજારમાંથી રાઈઝરની અંદર આવી રહ્યું છે.
સેવકોએ જણાવ્યું કે ગંદા પાણીના લીકેજને કારણે મંદિરની દિવાલના કેટલાક ભાગો પર શેવાળના થર જામી ગયા છે. SJTA અરબિન્દા પાધીએ જણાવ્યું કે તેઓ મેઘનાદ પચેરી માટે ખૂબ જ ચિંતિત છે. તેણે માહિતી આપી છે કે એએસઆઈ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. નિરીક્ષણ દરમિયાન SJTAની ટેકનિકલ ટીમ પણ હાજર રહી હતી. તેમણે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે મંદિરનું સમારકામ ASI દ્વારા જલ્દી પૂર્ણ કરવામાં આવશે.
આ મંદિર 12મી સદીમાં બનાવવામાં આવ્યું
પુરીનું જગન્નાથ મંદિર બારમી સદીમાં બનાવવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિર પ્રશાસન તેની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છે. કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને ટૂંક સમયમાં રિપેરિંગ કામ શરૂ કરવામાં આવે તેવું જણાવ્યું હતું. જેથી કરીને કોઈપણ પ્રકારની સમસ્યા ન સર્જાય.
પૂર્વ સરકાર દ્વારા મંદિર પરિસરની આસપાસ તોડફોડ કરવામાં આવી હતી. આ કારણે મંદિરમાં તિરાડો પડી ગઈ છે. ભૂતકાળની ભૂલો શક્ય તેટલી વહેલી તકે સુધારવી જોઈએ. મંદિરમાં ગંદુ પાણી વહી રહ્યું છે. દિવાલોની તિરાડો વચ્ચેથી ગંદુ પાણી લીકેજ થવાના કારણે દીવાલો પર પણ શેવાળના થર દેખાવા લાગ્યાં છે. આ માટે ASIની ટીમ દ્વારા ટૂંક સમયમાં તિરાડોનું સમારકામ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech