ગૌમાતા માટે અન્નકૂટ ઉત્સવ તેમજ ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકૂટ ઉત્સવ તથા જલારામ બાપાના જીવન ચરિત્ર સત્સંગનો કાર્યક્રમ યોજાશે
જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરે (શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ), ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સનાતન સંસ્કૃતિમાં વર્ણવેલી ગૌમાતાનું મહત્ત્વ આધુનિક સમયમાં લોકો સ્વીકારે તેવા હેતુથી આ વર્ષે પણ તા. ૧૪-૧-ર૦રપ, મકરસંક્રાંતિના શુભ દિને સવારે ૯.૩૦ થી સાંજના ૭ વાગ્યા સુધી ગૌચારા અન્નકોટ યોજવામાં આવ્યો છે. સાંજે ૬.૧પ વાગ્યે ગૌમાતાની આરતી કરવામાં આવશે. સંસ્થા દ્વારા વર્ષ-ર૦ર૧ થી આ કાર્યક્રમ યોજવામાં આવે છે.
શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ દ્વારા સૌપ્રથમ વખત શ્રી જલારામ બાપા ચરિત્ર સત્સંગ તા. ૧પ થી તા. ૧૭ સુધી સાંજે ૪ થી ૭ વાગ્યા દરમિયાન યોજવામાં આવ્યો છે. વક્તા પ.પૂ. શાસ્ત્રીજી રમણીકભાઈ દવે (લંડનવાળા) સંતશ્રી જલારામ બાપાનું જીવનચરિત્ર સંભળાવશે.
તા. ૧૭ ના સાંજે ૪ થી ૮ વાગ્યા દરમિયાન ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકોટ રાખવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જલારામ સેવા ટ્રસ્ટ, હાપા દ્વારા તા. ૧૭-જાન્યુઆરી, ર૦૧૩ થી ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકોટ યોજવામાં આવે છે. અન્નકોટના દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech