હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર તા. 27 થી 28 ડીસેમ્બર દરમિયાન દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિતના ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી થયેલ છે. જેને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે કેટલાંક તકેદારીનાં પગલા લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં સુચવાયું છે.
ખેત ઉત્પાદિત પાક કે ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડુત મિત્રોએ અનાજ અને ખેતપેદાશો વરસાદથી સુરક્ષિત રાખવા. વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન લાવવાનું ટાળી શકાય અથવા અથવા સુરક્ષિત રીતે લાવવા.
આ અંગે વધુ જાણકારી જે-તે વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦-૧૫૫૧ નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા લોકોએ ભાગદોડ શરૂ કરી
May 10, 2025 05:53 PMજામનગરમાં કંટ્રોલરૂમ ખાતે આપાતકાલીન બેઠક યોજવામાં આવી
May 10, 2025 05:42 PMજામનગરમાં હાઈ એલર્ટ બાદ આજરોજ વેપાર ધંધા બંધ કરાવવામાં આવ્યા
May 10, 2025 05:33 PMમોદી સરકારનો મોટો નિર્ણય, ભારતમાં કોઈપણ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે
May 10, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech