મધ્યપ્રદેશના છતરપુરમાં આજે મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા અને 6થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામ લોકો બાગેશ્વર ધામના દર્શન કરવા માટે છતરપુર રેલવે સ્ટેશનથી ઓટોમાં જઈ રહ્યા હતા. ત્યારે હાઇવે પર પૂરપાટ ઝડપે આવતી ઓટો એક ટ્રક સાથે અથડાઇ હતી.
મંગળવારે સવારે લગભગ 5 કલાકે ઝાંસી ખજુરાહો હાઇવે NH 39 પર આ અકસ્માત થયો હતો. મોટી સંખ્યામાં ભક્તો છતરપુર સ્ટેશન પર ઉતરી ઓટોમાં બાગેશ્વરધામ જવા રવાના થયા હતા.
ઓટો ડ્રાઈવરે બેસાડી હતી ઓવરલોડેડ સવારી
ઓટો ઓપરેટરે ઓવરલોડેડ સવારી બેસાડી હતી. ત્યારબાદ કાદરી પહોંચ્યા બાદ હાઈવે પર ઓટો નંબર UP 95 AT 2421 ટ્રક નંબર PB 13 BB 6479 સાથે અથડાઈ હતી. મૃત્યુ પામેલાઓમાં બાળકો અને વૃદ્ધો પણ સામેલ છે.
અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ઓટોમાં લગભગ 12 થી 15 લોકો સવાર હતા
ઓટોમાં લગભગ 12 થી 15 લોકો સવાર હતા. છેલ્લા મહિનાઓમાં બાગેશ્વર ધામ જતી અને આવતી વખતે અનેક અકસ્માતો થયા છે. આ અકસ્માતોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ઓવરલોડ ઓટોની કિંમત લોકોને પોતાના જીવ સાથે ચૂકવવી પડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં દરરોજ ૩૮ આવશ્યક ચીજનાભાવનું મોનિટરિંગ કરવા કલેક્ટરનો આદેશ
May 10, 2025 02:43 PMખંભાળિયા: દસ વર્ષ પૂર્વેના લાંચ-રીશ્વત કેસમાં આરોપીને ચાર વર્ષની સખત કેદ તથા દંડ
May 10, 2025 01:11 PMજામનગર બાયપાસ નજીક કાર અકસ્માતમાં એકનું મૃત્યુ
May 10, 2025 01:08 PMપથ્થરની વંડી ગોઠવતા ગડુ ગામના યુવાન પર હુમલો
May 10, 2025 01:05 PMજામનગર નજીક રમકડાના ડ્રોને પોલીસને ધંધે લગાડી
May 10, 2025 01:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech