ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની લઈને રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. આ અંગે પીએમ નિવાસસ્થાને બેઠક પણ થઈ ચૂકી છે. જોકે, હવે નવા પ્રમુખની જાહેરાત ગમે ત્યારે થાય તેવી શક્યતા છે. રાજકીય સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ મહિનાના અંત સુધીમાં ભાજપ જે.પી. નડ્ડાની જગ્યાએ નવા પ્રમુખના નામની જાહેરાત કરી શકે છે. નવા ભાજપ પ્રમુખની રેસમાં હાલ ત્રણ નામો મોખે હોવાનું ભજપના સુત્રો જણાવી રહ્યા છે.
ત્રણ નેતાઓમાંથી કોઈપણ એકને અધ્યક્ષની જવાબદારી સોંપાઈ શકે
ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટરનું નામ પણ પ્રમુખની રેસમાં સામેલ છે. આ સિવાય મોદી સરકારમાં મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવના નામની પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણ નેતાઓમાંથી કોઈપણ એકને અધ્યક્ષની જવાબદારી સોંપાઈ શકે છે. પાર્ટીના પ્રમુખ અંગે નિર્ણય લેતા પહેલા આરએસએસની સલાહ પણ લેવામાં આવશે. જોકે એ પહેલા યુપી, બંગાળ અને આંધ્રપ્રદેશ જેવા મોટા રાજ્યના પ્રમુખ પદને લઈને નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ જ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી થશે.
મનોહર લાલ ખટ્ટરને સંગઠનની સારી સમજ
ભાજપા સૂત્રોનું કહેવું છે કે, ભાજપ 25 એપ્રિલ સુધીમાં યુપી સહિત ઘણા રાજ્યોમાં પ્રમુખોની જાહેરાત કરી શકે છે. ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નામાંકન દાખલ કરવામાં આવશે અને એક નેતાનું નામ સર્વસંમતિથી નક્કી કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મનોહર લાલ ખટ્ટર પર સર્વસંમતિ સધાય તેવી પ્રબળ શક્યતા છે. તેનું કારણ એ છે કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના છે અને તે વડાપ્રધાન મોદીની પહેલી પસંદ પણ છે. લાંબા સમયથી આરએસએસના પ્રચારક તરીકે કામ કરી ચૂકેલા મનોહર લાલ ખટ્ટરને સંગઠનની સારી સમજ છે. આ સિવાય આરએસએસને પણ તેમના નામ સામે કોઈ વાંધો નથી. કારણ કે તે માને છે કે પાર્ટીની કમાન સમાન વૈચારિક પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાના હાથમાં હોવી જોઈએ.
આરએસએસ પણ આ માટે સંમત થશે
ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવના નામ પણ નવા પ્રમુખની રેસમાં છે. જોકે મનોહર લાલ ખટ્ટરનું ટોપ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મનોહર લાલ ખટ્ટર વચ્ચે દાયકાઓ જૂનો સંબંધ છે. આવી સ્થિતિમાં સંગઠનની કમાન પણ તેમના વિશ્વાસુ વ્યક્તિ પાસે રહેશે અને આરએસએસ પણ આ માટે સંમત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધવિરામ બાદ ટ્રમ્પે પોસ્ટ કરી લખ્યું કે શું હવે કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે કે નહી?
May 11, 2025 11:03 AMજાણો પાકિસ્તાને સિઝફાયર તોડ્યા પછી દેશના જુદા જુદા રાજ્યોમાં શું સ્થિતિ હતી
May 11, 2025 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech