વિદેશ જવાનો મોહ એક એવો મોહ છે જે અનેક પડકારો, સમસ્યાઓ સામે આવવા છતાં લોકોને છૂટતો નથી. તેના માટે ગમે તે કરી છૂટે છે. પછી એવી મુશ્કેલીઓમાં મૂકાઈ જાય કે જેમાંથી બહાર નીકળતા દમ નીકળી જતો હોય છે. વળી પાછો એક એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં આખે આખું પ્લેન ભાડે કરીને ભારતીયોને અમેરિકામાં ઘૂસાડવાનું એક મોટું ષડયત્રં સામે આવ્યું છે. રિપોટર્સ મુજબ દુબઈથી આ પ્લેને ઉડાન ભરી હતી અને કેરેબિયન દેશ જમૈકા પહોંચ્યું હતું.
આ પ્લેનમાં ૨૫૩ લોકો સવાર હતા જેમાંથી ૧૫૦થી વધુ ભારતીયો હતા અને તેમાં પણ ગુજરાતીઓ અને પંજાબીઓ વધુ હતા. આ ઉપરાંત ઉઝબેકિસ્તાનના પણ નાગરિકો હતા. આ ઘટના જો કે લગભગ ૬ દિવસ પહેલાની છે. મળતી માહિતી મુજબ જમૈકાના કેપિટલ સિટી કિંગ્સ્ટનમાં આવેલા નોર્મન મેન્લી એરપોર્ટ પર ૨ મેના રોજ એક લાઈટ લેન્ડ થઈ હતી. એરપોર્ટ પરના અધિકારીઓને પૂછપરછ દરમિયાન તેમના પર શંકા ગઈ હતી. જમૈકાના સ્થાનિક મીડિયાના રિપોર્ટમાં ઈમિગ્રેશન અધિકારીએ એવું જણાવ્યું હતું કે જમૈકા આવવાનો તેમનો હેતુ ત્યાં પાંચ દિવસ રહેવાનો હતો પરંતુ તેમની પાસે તો ફકત એક જ દિવસ ત્યાં રોકાવાનો ટ્રાવેલ પ્રોગ્રામ હતો. આ લોકોને હોટલમાં નજરકેદ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ એવું કહેવાય છે કે તમામ પેસેન્જરો અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા.
મળતી માહિતી મુજબ ભારતીયોને લઈને આ લાઈટ દુબઈથી રવાના થઈ હતી અને ઈજિના કેરોમાં પણ ઉતરણ કયુ હતું. આ લાઈટમાં ભારતીયો ઉપરાંત ત્યાંથી ઉઝબેકિસ્તાનના નાગરિકો પણ બેઠા હતા. તમામને લઈને લાઈટ કેરેબિયન ટાપુ જમૈકા પહોંચી યાં ગડબડી સામે આવી. લાઈટ જર્મન કંપનીની છે.
મીડિયા રિપોર્ટ મુજબ એવી પણ માહિતી સામે આવી રહી છે કે વાયા વાયા અમેરિકા ઘૂસવાની ફિરાકમાં પ્લેનમાં સવાર થયેલા લોકોમાંથી મોટા ભાગના ભારતીયો અને તેમાં પણ ઘણા ગુજરાતીઓ અને તે પણ ઉત્તર ગુજરાત સાઈડના હોવાનું સામે આવ્યું છે. અમેરિકામાં આ રીતે ઘૂસવાના પ્લાનિંગમાં કેટલાક ગુજરાતીઓ એજન્ટોની પણ ભૂમિકા સામે આવી હોવાનું કહેવાય છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે ૬ દિવસ સુધી આ મુસાફરોને હોટલમાં રાખી પૂછપરછ કરીને મંગળવારે પ્લેનને ટેક ઓફ માટે મંજૂરી આપી દેવાઈ. પ્લેન જો કે કયાં ગયું તેની કોઈ જાણકારી નથી.નોંધનીય છે કે આ કોઈ પહેલો કિસ્સો નથી. કારણ કે પાંચેક મહિના પહેલા ફ્રાન્સમાં પણ આ જ પ્રકારનો કિસ્સો જોવા મળ્યો હતો. ૩૦૩ ભારતીયોથી ભરેલા પ્લેનને રોકવામાં આવ્યું હતું. પ્લેન દુબઈથી નિકારાગુઆ જઈ રહ્યું હતું. યુલિંગ માટે રોકાતા ફ્રાન્સ ઓથોરિટીને શંકા ગઈ હતી. સમગ્ર તપાસમાં હ્યુમન ટ્રાફિકિંગનો મામલો સામે આવ્યો હતો. ૩૦૩માંથી ૨૭૬ લોકોને નિકારાગુઆને બદલે ભારત મોકલી દેવાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાના હરિકુંડની દુર્દશાઃ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં...
May 20, 2024 11:03 AMકેનેડામાં દફનવિધિનો ખર્ચ ત્રીસ લાખ રૂપિયા, લોકો શબ મુકીની ચાલ્યા જાય છે
May 20, 2024 11:02 AMજામનગર:જામજોધપુરના વીરપુર ગામે ગઢવી સમાજના માતાજીના હવન પ્રસંગે થયો ડખો
May 20, 2024 11:00 AM૧૯૭૯માં પોતે લોર્ડ માઉન્ટબેટનને ઉડાવી દીધા હોવાનો ભૂતપૂર્વ કમાન્ડરનો ચોંકાવનારો દાવો
May 20, 2024 11:00 AMજામનગર લોહાણા મહાજનના પ્રમુખ તરીકે ભરત મોદી (સાબુવાળા) ની સવર્નિુમત્તે નિયુક્તિ
May 20, 2024 10:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech