રાજકોટ મહાનગરપાલિકાની ફડ બ્રાન્ચને થોડા દિવસો પૂર્વે બાલાજી વેફરના પેકેટમાંથી જીવાત મળ્યાની ફરિયાદ મળી હતી જેના અનુસંધાને તાજેતરમાં બાલાજી વેફરનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.
વધુમાં રાજકોટ મહાપાલિકાના સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે પેકેટમાંથી જીવાત મળ્યાની ફરિયાદના અનુસંધાને જે પેકેટમાંથી જીવાત મળી હતી તે જ બેચ નંબરના સેઇમ લોટમાંથી બાલાજી ક્રન્ચેકસ સિમ્પલી સોલ્ટડ પોટેટો વેફર્સ (૩૦ ગ્રામ પેકિંગ)નું સેમ્પલ બાલાજી સેલ્સ એજન્સી, માધાપર સર્વે નં.૨૫, એરટેલ ઓફિસ પાસે, રાજકોટ ખાતેથી લેવામાં આવ્યું હતું જે પૃથ્થકરણ અર્થે ફડ લેબોરેટરીમાં મોકલવા કાર્યવાહી હાથ ધરાઇ છે.
દરમિયાન તેમણે સેમ્પલ ફેઇલ ગયાના અન્ય એક કેસ અંગે જણાવ્યું હતું કે નિલેશ ડેરી ફાર્મ, નવા થોરાળા શેરી નં.૪૬ કોર્નર, રામનગર સોસાયટી, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાધચીજ ચોકલેટ મોદકના સેમ્પલની તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં સિન્થેટીક ફડ કલર (ટાટ્રાઝીન)ની માત્રા નિયત ધારાધોરણ કરતાં વધુ હોવાથી સેમ્પલ સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
શહેરના વાણીયાવાડી વિસ્તારના જલારામ ચોકથી ગાયત્રીનગર મેઇન રોડ સુધીના વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૨ ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં પાંચ ધંધાર્થીઓને ફડ લાઇસન્સ બાબતે સૂચના અપાઇ હતી તેમજ વિવિધ ખાધ્ય ચીજોના કુલ ૧૮ નમૂનાની સ્થળ ઉપર ફડ સેફટી વાનમાં ચકાસણી કરવામાં આવી હતી
ત્રણ ડેરીફાર્મમાંથી શુધ્ધ ઘીના સેમ્પલ લેવાયા
(૧) શુધ્ધ ઘી લુઝનું સેમ્પલ શ્રી પટેલ વિજય સ્વીટ એન્ડ નમકીન, જલારામ સોસાયટી, મોરબી રોડ, રાજકોટ ખાતેથી
(૨) શુધ્ધ ઘી લુઝનું સેમ્પલ હરેરામ હરેકૃષ્ણ ડેરી ફાર્મ, મનહર સોસાયટી–૧ કોર્નર, પેડક રોડ, રાજકોટ ખાતેથી
(૩) શુધ્ધ ઘી લુઝનું સેમ્પલ માધવ ડેરી ફાર્મ, જય ખોડિયાર પાર્ક, સ્વાતી પાર્ક મેઇન રોડ, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ ખાતેથી લેવાયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech