શહેરમાં પોલીસની ઢીલી પડી રહેલી કામગીરીના લીધે છાશવારે સામાન્ય મારામારીથી લઇ છરી વડે જીવણ હુમલાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે શહેરના રૈયા રોડ પર નાણાવટી ચોક પાસે રાત્રિના વધુ એક આવી ઘટના બની છે. અહીં પાનની દુકાને ફાકી ખાવા આવેલા યુવાન પર કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનના પુત્રએ સળગતી દિવાસળી ફેંકતા યુવાને આમ કરવાની ના કહેતા તે ઉશ્કેરાયો હતો બાદમાં તેણે છરી વડે યુવાન પર હુમલો કરી ડોક અને હાથનાભાગે છરીના ઘા ઝીંકી દઇ હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે હર્ષદ મહાજનના પુત્ર સહિત ત્રણ શખસો સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ ગીર સોમનાથના વેરાવળ તાલુકાના મંડોર ગામના વતની અને આઠ મહિનાથી રાજકોટમાં આલાપ ગ્રીન સીટી પાછળ જીવન શાંતિ સ્કૂલ નજીક અમૃત પાર્ક શેરી નંબર ત્રણ બસેરા પેલેસ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 101 માં રહેતા હિરેન કાનાભાઈ ડોડીયા (ઉ.વ 24) નામના યુવાને આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનના પુત્ર જેનિસ મહાજન, સુજલ સોલંકી અને સુનિલના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે આઈડીપીસી બેંકમાં નોકરી કરે છે અને તેના પિતા ખેતી કામ કરે છે યુવાન એક ભાઈ એક બહેનના પરિવારમાં મોટો છે.
ગઈકાલ રાત્રિના દસેક વાગ્યા આસપાસ યુવાન અહીં નાણાવટી ચોક પાસે આશાપુરા પાન નામની દુકાને ફાકી ખાવા માટે ગયો હતો બાદમાં બાજુમાં આવેલી મોમાઈ હોટલે ચા પીવા માટે જતા અહીં ઊભેલા ત્રણેય આરોપીઓ પૈકી જેનીસે કોઈ કારણ વગર યુવાન પર દિવાસળી સળગાવી ફેકી હતી જેથી યુવાને દીવાસળી ફેંકવાની ના પાડતા જેનીસ ઉશ્કેરાયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો બાદમાં તેણે યુવાન સાથે ઝપાઝપી કરી છરી કાઢી યુવકને ડોકના ભાગે તથા હથેળીનાભાગે છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા દરમિયાન દેકારો થતા અહીં લોકો એકત્ર થઈ ગયા હતા.બાદમાં આ ત્રણેય શખસો અહીંથી નાસી ગયા હતા.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે આ અંગે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પીઆઇ કે.જે.કરપડાની રાહબરી હેઠળ સ્ટાફે તપાસ હાથ ધરી ત્રણેય આરોપીઓને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech