ખંભાળિયાના ભાતેલ ગામે આઠમના દશાંશ યજ્ઞ: 11 લાખ મંત્રોનો જાપ થશે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના મૂળ વતની તથા રાજપુત આગેવાન અને રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે. ભાતેલ ગામે આવેલા શ્રી આશાપુરા માતાજીના મંદિર ખાતે તેમના દ્વારા સતત બારમાં વર્ષે પણ હાથ ધરવામાં આવેલા અનુષ્ઠાન તેમજ આઠમના હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
દ્વારકા શારદાપીઠના વિદ્વાન બ્રાહ્મણો તથા શાસ્ત્રી રાજદીપભાઈ વોરિયા સાથે દરરોજ બ્રાહ્મણોને સાથે રાખીને હકુભા જાડેજા દ્વારા મંત્રોનું અનુષ્ઠાન કરવામાં આવે છે. જેમાં દરરોજ ભાતેલ ઉપરાંત ખંભાળિયા અને જામનગર સહિતના સ્થળોએથી આગેવાનો તેમજ ધર્મપ્રેમી ભક્તો જોડાય છે.
આશાપુરા માતાજીના સાનિધ્યમાં દરરોજ મંત્ર જાપ કરવામાં આવે છે. જે 11 લાખ મંત્રો નવરાત્રીમાં પૂર્ણ થશે. આ સાથે તેનો દશાંશ યજ્ઞ શુક્રવાર તારીખ 11 ના રોજ આઠમના દિવસે થશે. આ યજ્ઞમાં બિલ્વ ફળની આહુતિ અપાશે. છેલ્લા 12 વર્ષથી હકુભા જાડેજા દર વર્ષે અહીં નવરાત્રી અનુષ્ઠાન સાથે હવન કરે છે. અહીં દરરોજ નવરાત્રીના તમામ નવ દિવસો દરમિયાન અવિરત અનુષ્ઠાન, પાઠ, મંત્રજાપ થાય છે. સાથે સાથે રાત્રે નવરાત્રીની ગરબી પણ યોજવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMમધર્સ ડે નિમિત્તે ઉપલેટા સ્કૂલની અનોખી પહેલ: મધર ક્લબની સ્થાપના કરાઈ
May 11, 2025 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech