જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં રહેતા અને અભ્યાસ કરતા નવ વર્ષના એક બાળકનું ફુલઝર નદીમાં નહાવા માટે પડતાં ડૂબી જવાથી કરૂણ મૃત્યુ નીપજયું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મહીસાગરના વતની અને હાલ કાલાવડ તાલુકા ના ખંઢેરા ગામમાં રહેતા ખેડૂત વિજયભાઈ નારણભાઈ સંઘાણીની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા અરવિંદભાઈ અખમભાઈ ડામોર નામના આદિવાસી ખેત મજુર નો નવ વર્ષનો પુત્ર યુવરાજ કે જે ગઈકાલે બપોરે ૧૨.૦૦ વાગ્યાના અરસામાં ખંઢેરા ગામ પાસે આવેલી નદીમાં નાહવા માટે પડ્યો હતો.
જે દરમિયાન એકાએક ઊંડા પાણીમાં ઘરકાવ થઈ જતાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક ના પિતા અરવિંદભાઈ ડામોરે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાલાલા પંથકમાં બે ઇંચ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાનો માહોલ
May 09, 2025 11:55 AMભાવનગરમાં પાંચ શખસોએ કરી યુવાનની સરાજાહેર કરપીણ હત્યા
May 09, 2025 11:52 AMહળવદ રણકાંઠા વિસ્તારમાં માવઠાનો હાહાકાર કચ્છના નાના રણમાં મોટું નુકસાન: વળતરની માગ
May 09, 2025 11:47 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech