કાયદા પ્રધાન બંધારણ સુધારો બિલ લાવશે, જેમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવા માટે બંધારણની મુખ્ય જોગવાઈઓમાં સુધારો કરવાની જોગવાઈ હશે.
વન નેશન વન ઇલેક્શન સંબંધિત બિલ 17મી ડિસેમ્બરે એટલે કે આવતીકાલે લોકસભામાં રજૂ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલ લોકસભામાં રજૂ કરશે. તેને બંધારણ (129મો સુધારો) બિલ 2024 કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ, ભાજપે તેના તમામ લોકસભા સાંસદોને 17 ડિસેમ્બર 2024ના રોજ ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લાઈનનો વ્હીપ જારી કર્યો છે. પાર્ટીએ કહ્યું છે કે આ દિવસે સંસદના બંને ગૃહોમાં મહત્વપૂર્ણ કાયદાકીય કાર્યો પર ચર્ચા કરવામાં આવશે.
કાયદા મંત્રી બે બિલ રજૂ કરશે
મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકારે 'વન નેશન-વન ઈલેક્શન' લાગુ કરવાની દિશામાં પગલાં લીધાં છે. આ જોતાં સરકાર 'વન નેશન, વન ઇલેક્શન' લાગુ કરવા માટે મંગળવારે લોકસભામાં બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવા જઈ રહી છે.
પહેલું બંધારણ સંશોધન બિલ હશે
કાયદા પ્રધાન બંધારણ સુધારો બિલ લાવશે, જેમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવા માટે બંધારણની મુખ્ય જોગવાઈઓમાં સુધારો કરવાની જોગવાઈ હશે. બીજું કેન્દ્ર શાસિત પ્રદેશ સંશોધન બિલ હશે. દિલ્હી, પુડુચેરી અને જમ્મુ અને કાશ્મીર જેવા કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી ચક્રને આ યોજનાને અનુરૂપ લાવવા માટે બીજું બિલ રજૂ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech