ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવસેવા સમિતિના ઉપક્રમે આગામી રવિવાર તારીખ 14 મીના રોજ અત્રે જામનગર હાઈવે પર આવેલી એલ.પી. બદિયાણી હોસ્પિટલ ખાતે સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્ર નિદાન, સારવાર, દવા વિતરણ અને શસ્ત્રક્રિયા કેમ્પ સાથે સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
દાતા સદગૃહસ્થ રતિલાલ નાનજીભાઈ વાઢેર પરિવાર (હ. જગદીશભાઈ ચાવડા)ના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ નેત્ર કેમ્પમાં વીરનગરની જાણીતી શિવાનંદ મિશન હોસ્પિટલના નિષ્ણાંત તબીબો તેમજ ટેક્નીશીયનો તેમની સેવાઓ આપશે. દર્દીઓને વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન કરી, નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે. સર્વરોગ નિદાન કેમ્પમાં જાણીતા તબીબ ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠા દ્વારા દર્દીઓને તપાસી, વિના મૂલ્યે દવાનું પણ વિતરણ કરવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા તથા આસપાસના દર્દીઓને માનવસેવા સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજી-7 દેશોએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી: ભારત- પાકિસ્તાનને સંયમ રાખવા અપીલ કરી
May 10, 2025 11:11 AMકચ્છમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે 6 ડ્રોન તોડી પાડયા
May 10, 2025 11:05 AMસૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ 2025-26નું સમાપન
May 10, 2025 10:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech