પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહના અંતિમ સંસ્કાર આજે રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. નવી દિલ્હીના નિગમબોધ ઘાટ પર સવારે 11.45 વાગ્યે અંતિમસંસ્કાર કરવાનો નિર્ણય ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે. અંતિમસંસ્કાર પહેલા ડો. મનમોહન સિંહના પાર્થિવ દેહને કોંગ્રેસ મુખ્યાલયમાં લાવવામાં આવ્યો છે, જ્યાં કોંગ્રેસના કાર્યકરો અને સામાન્ય લોકો શ્રદ્ધાંજલિ આપવા ઊમટી રહ્યા છે. અહીંથી તેમની અંતિમયાત્રા કાઢવામાં આવશે. અંતિમસંસ્કારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિગમબોધ ઘાટ ખાતે હાજર રહેશે.
કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો તેમનું સ્મારક બનાવવાની માગ કરી રહ્યા છે, જેના માટે સરકારે સંમતિ આપી છે. આ માટે ટ્રસ્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મનમોહનસિંહની અંતિમયાત્રા 11 કિલોમીટર લાંબી હશે. પાર્થિવ દેહને કોંગ્રેસ કાર્યાલયથી ઈન્ડિયા ગેટ થઈને અકબર રોડ, ઈન્ડિયા ગેટથી તિલક માર્ગ, તિલક માર્ગથી આઈટીઓ રેડ લાઈટ સુધી લઈ જવામાં આવશે અને પછી જૂના પોલીસ હેડક્વાર્ટરની સામેથી પસાર થતા રિંગ રોડ પર ડાબી બાજુ લઈ જવામાં આવશે. આ પછી, અંતિમયાત્રા સીધા માર્ગે નિગમ બોધ ઘાટ પહોંચશે.
કોંગ્રેસ મુખ્યાલયમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે મનમોહનસિંહનો પરિવાર પણ હાજર છે. પાર્ટીના કાર્યકરો અને સામાન્ય લોકો મનમોહનસિંહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
દિલ્હી ટ્રાફિક પોલીસે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના અંતિમસંસ્કાર પહેલા ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. ટ્રાફિક પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ જે માર્ગો પરથી તેમની અંતિમ યાત્રા પસાર થશે તે માર્ગો પરથી ન જાય. એડવાઈઝરીમાં પોલીસે મનમોહન સિંહના અંતિમ સંસ્કારને ધ્યાનમાં રાખીને નવી દિલ્હીના મુખ્ય માર્ગો પર પ્રતિબંધો અને ડાયવર્ઝન વિશે માહિતી આપી છે.
ટ્રાફિક પોલીસે લોકોને માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું છે. ટ્રાફિક એડવાઇઝરી દ્વારા, પોલીસે લોકોને ટ્રાફિકજામ ટાળવા અને ભીડ ઘટાડવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરવા જણાવ્યું છે. જેથી કરીને લોકો કોઈપણ મુશ્કેલી વિના તેમના નિર્ધારિત સ્થાને પહોંચી શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMજામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
May 06, 2025 06:41 PMધો.૧૨ સાયન્સમાં ૧૦૦% પરિણામ સાથે મા. સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલની ઝળહળતી સિદ્ધિ
May 06, 2025 06:17 PMજામનગર ખાતે યોજાયેલ ફેન્સીંગની રાજ્યકક્ષાની સ્પર્ધાનું ભવ્ય સમાપન
May 06, 2025 06:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech