સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રની ઉચ્ચ સ્તરીય ચર્ચા 24થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. જો કે આ વખતે પીએમ મોદી મહાસભાને સંબોધશે નહીં. આ વખતે વિદેશ મંત્રી એસ જયશંકર ભારત તરફથી મહાસભાને સંબોધિત કરશે.
વડાપ્રધાન મોદી આ મહિનાના અંતમાં અમેરિકા જવાના છે. જયારે 22 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી લોંગ આઇલેન્ડમાં નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમમાં એક મેગા સમુદાય કાર્યક્રમને સંબોધિત કરશે.
જુલાઇમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના 79મા સત્રની સામાન્ય ચર્ચા માટે વક્તાઓની કામચલાઉ યાદીમાં કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદી 26 સપ્ટેમ્બરે ઉચ્ચ સ્તરીય ચર્ચાને સંબોધિત કરશે.
શુક્રવારે યુએન દ્વારા બહાર પાડવામાં આવેલ વક્તાની સુધારેલી કામચલાઉ સૂચિ અનુસાર, વિદેશ પ્રધાન એસ જયશંકર હવે 28 સપ્ટેમ્બરે સામાન્ય ચર્ચાને સંબોધશે તેવી અપેક્ષા છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ સામાન્ય ચર્ચાની શરૂઆત પહેલા તેમનો અહેવાલ રજૂ કરશે, ત્યારબાદ જનરલ એસેમ્બલીના 79મા સત્રના પ્રમુખ દ્વારા સંબોધન કરવામાં આવશે.
પીએમ મોદીએ છેલ્લે સપ્ટેમ્બર 2021માં યુએનજીએના વાર્ષિક સત્રને સંબોધિત કર્યું હતું. તેમણે ગયા વર્ષે 21 જૂને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની મુલાકાત લીધી હતી અને ઐતિહાસિક યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું.
રાષ્ટ્રપતિ જો બાઈડેનનું તેમના કાર્યકાળ દરમિયાન મહાસભાને આ છેલ્લું સંબોધન હશે, કારણ કે આ વર્ષે નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ જનરલ એસેમ્બલીના 79મા સત્રમાં સામાન્ય ચર્ચાની શરૂઆત પહેલા પોતાનો રિપોર્ટ રજૂ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતે માલદીવને 50 મિલિયન ડોલરની નાણાકીય સહાય આપી
May 12, 2025 02:45 PMજુના યાર્ડ પાસે હિટ એન્ડ રન: માતાની અંતિમવિધિમાં જઇ રહેલા પુત્રનું મોતઃ ત્રણને ઇજા
May 12, 2025 02:43 PMજામનગરમાં GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિયેશન ખાતે યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ
May 12, 2025 02:18 PMઅમેરિકાના મિલવૌકીમાં આગ લાગવાથી 4 લોકોના મોત
May 12, 2025 02:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech