પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં નાગરિકોને ટાર્ગેટ કરી રહ્યું છે, ઘરો પર ગોળીબાર કર્યો, ભારતનો જડબાતોડ જવાબ, જુઓ તસવીરો

  • May 09, 2025 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે ઓપરેસન સિંદૂર હાથ ધર્યું છે. 7 મેના રોજ રાત્રે ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણા પર હુમલો કરી 100 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. બાદમાં પાકિસ્તાન તરફથી મિસાઈલ અને ડ્રોનથી હુમલાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે ભારતીય સેના તેમના હુમલાના પ્રયાસ નિષ્ફળ કરી રહી છે. ગઈકાલે રાત્રે જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ગુજરાતના સરહદી વિસ્તારો અને એરબેઝ પર મિસાઈલો અને ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ભારતની એસ-400 સુદર્શન ચક્ર એર ડિફેન્સ સિસ્ટમે તમામને હવામાં જ તોડી પાડ્યા હતા. 


પાકિસ્તાને ડ્રોનથી પઠાણકોટ એરબેઝ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે, ભારતીય ડિફેન્સ સિસ્ટમે આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાનના ડ્રોન હુમલા બાદ ધર્મશાલા સ્ટેડિયમમાં પંજાબ-દિલ્હી વચ્ચે આઈપીએલ મેચ રોકવી પડી હતી. પાકિસ્તાને સરહદ પારથી ડ્રોન અને મિસાઇલોથી જમ્મુ અને કાશ્મીરના અખનૂર પર હુમલો કર્યો હતો. 8 મેના રોજ પૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં 13 વર્ષીય વિહાન બરગવાનું મોત થયું હતું.


પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખા પર ગોળીબાર બાદ જમ્મુના મિશ્રીવાલામાં લોકો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જઈ રહ્યા છે. આઈપીએલ મેચ રદ થયા પછી, ખેલાડીઓને તાત્કાલિક અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. એલઓસી વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા સતત ગોળીબારને કારણે લોકોએ બંકરોમાં આશરો લીધો છે. સરહદ પર પાકિસ્તાની સેના દ્વારા કરાયેલા ગોળીબારમાં ઘણા લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાને રાજૌરીમાં નાગરિકોનાં અનેક ઘરોને નિશાન બનાવ્યાં છે.


​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application