વોલ્ટર રીડ નેશનલ મિલિટરી મેડિકલ સેન્ટરના ન્યુરોલોજિસ્ટ ડો. કેવિન કેનાર્ડ ગયા વર્ષે આઠ વખત વ્હાઇટ હાઉસની મુલાકાતે આવ્યા હતા, છતાં રાષ્ટ્રપતિ જો બાઈડનના ટોચના પ્રવક્તાએ એ સમજાવવાનો ઇનકાર કર્યો કે શા માટે પાર્કિન્સન એક્સપર્ટે વ્હાઇટ હાઉસના ડોક્ટર સાથે ઘણી મુલાકાત કરી હતી પરંતુ તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિને પાર્કિન્સન અન્ય કોઈ ન્યુરોલોજીકલ રોગ માટે સારવાર આપવામાં આવતી નથી.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે પત્રકારોને કહ્યું કે બાઈડનની ત્રણ વાર્ષિક શારીરિક પરીક્ષાઓ દરમિયાન ન્યુરોલોજીસ્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ડોકટરોને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર સુસંગત કોઈ લક્ષણો મળ્યા નથી. કેરીન જીન-પિયરે પત્રકારોના પાર્કિન્સનની સારવાર અંગેના પ્રશ્નો ટાળ્યા હતા.
જીન-પિયરે કહ્યું કે તે સિક્યોરીટી કન્ડિશન્સના પગલે વ્હાઇટ હાઉસમાં કોઈપણ તબીબી નિષ્ણાતોની હાજરીની પુષ્ટિ કરવામાં અસર્મ છે અને કેનાર્ડની મુલાકાત બાઈડન સો જોડાયેલી છે કે કેમ તે કહેવાનો ઇનકાર કર્યો હતો. બાઈડનની માનસિક સ્થિતિ વિશેના આરોપોને તેના ટ્રમ્પ સોની ડિબેટ પછીથી વેગ પકડ્યો છે, જેના કારણે કેટલાક કોંગ્રેસી ડેમોક્રેટ્સે ૮૧ વર્ષીય રાષ્ટ્રપતિને રેસમાથી બહાર નીકળી જવાની હાકલ કરી છે.
જીન-પિયરે ભારપૂર્વક જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસ બાઈડન વિશેની આરોગ્ય માહિતી છુપાવી રહ્યું નથી. એક ઇન્ટરવ્યુ દરમિયાન, બાઈડનને સીધું પૂછવામાં આવ્યું કે શું તેમણે પાર્કિન્સન સહિત કોઈપણ વય-સંબંધિત રોગ માટે પરીક્ષણ કર્યું છે, અને તે હસ્યા. તેણે આ વર્ષની શરૂઆતમાં તેની ન્યુરોલોજીકલ પરીક્ષાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેની નોકરીમાં દરરોજ તેની ચકાસણી કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech