15 દિવસ પહેલા દેશના સર્વોચ્ચ ન્યાયિક પદ પરથી નિવૃત્ત થયેલા ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સીજેઆઇ ડી.વાય. ચંદ્રચુડએ રવિવારે કહ્યું કે સંસદ કાયદો બનાવે છે પરંતુ ન્યાયતંત્રને તેનો અમલ કરવાનો અધિકાર છે. એક કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે પહોંચેલા પૂર્વ સીજેઆઇએ કહ્યું કે ન્યાયાધીશે હંમેશા ધીરજથી કામ લેવું જોઈએ. તેમણે કહ્યું કે કાયદો બનાવવાનું કામ સંસદનું છે, પરંતુ તેનો અમલ કરવાની સત્તા સંપૂર્ણપણે ન્યાયતંત્રના હાથમાં છે. આ ફક્ત આપણો અધિકાર નથી, પરંતુ આપણી જવાબદારી પણ છે.
સોશ્યિલ મીડિયાના મુદ્દે ચંદ્રચુડે કહ્યું કે એવું નથી કે સોશિયલ મીડિયામાં જે વાતો ચાલી રહી છે તેનાથી આપણને અસર થતી નથી. સમાજ પર તેની ભારે અસર પડે છે. ચંદ્રચુડે કહ્યું કે જ્યારે હું જજ હતો ત્યારે મારે મારી કોર્ટના કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડતું હતું અને તેથી હું સોશિયલ મીડિયા પર થતી ચચર્ઓિથી દૂર રહેતો હતો. કોર્ટનો કારકુન સોશિયલ મીડિયા પર સક્રિય હતો અને તેણે વિનંતી કરી કે હું સોશિયલ મીડિયાની ટિપ્પણીઓ ન વાંચું કારણ કે તે ટિપ્પણીઓ નિરાશાજનક હતી. આ નિવેદન ન્યાયાધીશોની માનસિક સ્થિતિ અને તેમના પરના દબાણને પણ દશર્વિે છે. જ્યારે સોશિયલ મીડિયા પર તેમની વિરુદ્ધ અપમાનજનક અથવા ખોટી વાતો લખવામાં આવે છે.
નિવૃત્તિ પછી તેમના 15 દિવસના કામના પ્રશ્ન પર ડીવાય ચંદ્રચુડે કહ્યું, ’હું 24 વર્ષથી જજ છું અને આ સિવાય મારી દુનિયામાં બીજું કોઈ કામ નહોતું. સવારે ઉઠીને કેસની ફાઈલ વાંચવી, કોર્ટમાં જવું, સાંજે પાછા ફરીને ચુકાદો લખવો અને રાત્રે બીજા દિવસની ફાઈલ વાંચવી, આ મારી દિનચયર્નિો એક ભાગ બની ગયો હતો. હું કામમાં એટલો વ્યસ્ત હતો કે મેં 24 વર્ષથી મારા પરિવાર સાથે લંચ નથી લીધું.
કોલેજિયમ સિસ્ટમ પર ટિપ્પણી કરતા, ભૂતપૂર્વ સીજેઆઇ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે આ વિષયને લઈને ઘણા પ્રકારની ગેર સમજો છે. એક કાર્યક્રમ દરમિયાન, જ્યારે તેને તેના મનપસંદ ક્રિકેટ ખેલાડી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે વર્તમાન ભારતીય ટીમના બે મહાન ખેલાડીઓ વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહને પસંદ કયર્.િ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech