જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા સ્વચ્છતા અભિયાનની ગુલબાંગો ફેંકવામાં આવે છે.પરંતુ ભરડાવાવ રોડ પર આવેલ જેટકો કચેરી પાસે જ સફાઈના અભાવે કચરાના ખડકલા જોવા મળી રહ્યા છે અને મચ્છરોના ઉપદ્રવથી કર્મીઓમાં રોગચાળાની ભીતી સેવાઈ રહી છે.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા સ્વચ્છતા સર્વેક્ષણ અને 'ગ્રીન જૂનાગઢ કલીન જૂનાગઢ' અન્વયે વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન કરવાના દાવા કરી રહ્યું છે. પરંતુ સરકારી કચેરી પાસે જ ઉકરડા અને ગંદકીના ગંજથી મનપાની સફાઈ અભિયાન કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયા છે.ભરડાવાવ રોડ પર જેટકોની કચેરી પાસે આડેધડ કચરો નાખવામાં આવી રહ્યો છે.ગટરનું પાણી પણ ત્યાંથી જ વહેતું હોવાથી મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે.નિયમિત સફાઈ થતી ન હોવાથી જેટકો કચેરીની દિવાલ પાસે ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે.મહાનગરપાલિકાને નિયમિત સફાઈ કરવા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે.પરંતુ સમસ્યાનો નિકાલ થયો નથી.સફાઈના અભાવે સરકારી કચેરી પાસે જ ગંદકીના ગંજથી કર્મીઓની હાલત પણ કફોડી થઈ છે.જેથી તાત્કાલિક સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતનું વિમાન તોડી પાડવાના પાકિસ્તાનના દાવાનો પર્દાફાશ, પુરાવા માંગ્યા તો આવું કર્યું
May 08, 2025 02:43 PMપોરબંદરમાં એક ઇંચ વરસાદ વરસ્યો
May 08, 2025 01:43 PMપોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા ચિત્રકલાનો વર્કશોપ યોજાયો
May 08, 2025 01:38 PMજામનગરમાં રસ્તા રોકો આંદોલન, મહિલાઓએ આપી પ્રતિક્રિયા
May 08, 2025 01:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech