જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામમાં એક ખેડૂત ની જમીન પચાવી પાડવા અંગે એક જ પરિવારના ત્રણ વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબીંગ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
રાજકોટ મા કાલાવડ રોડ ઉપર અમૃત સોસાયટી મા રહેતાં અને કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામ મા ખેતી ની ૨૨૨૮૪ ચો.મી. જમીન ધરાવતા રાહુલ નાનજીભાઈ પટેલ ની ૩૮ ગુંઠા જમીનમાં જયાબેન રામજીભાઈ કુંભાર, સનત રામ કુંભાર અને સાગર સનતભાઇ કુંભારે વર્ષ ૨૦૨૨ થી ગેરકાયદે કબજો જમાવ્યો હતો. રાહુલભાઈએ પોતાની જમીન ખાલી કરવા અનેક વખત રજૂઆત કરવા છતાં પોતાની જમીનનો કબજો ખાલી કરવામાં આવતો નહી હોવાથી આખરે તેમણે જિલ્લા કલેકટર સમક્ષ જમીન ખાલી કરવી આપવા અરજી કરી હતી. આથી લેન્ડ ગ્રેબીનગ સમિતિ દ્વારા જરૂરી તપાસ કરવામાં આવી હતી અને જેમાં જમીનનો ગેરકાયદે કબજો હોવા અંગે નો રિપોર્ટ આપી પોલીસ ને ફરિયાદ.નોંધવા આદેશ કર્યો હતો.
આખરે આજે રાહુલભાઈ પટેલની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપી સામે ગુનો નોંધ્યો છે. તેની તપાસ ડીવાયએસપી આર ડી દેવધા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech