છેલ્લા ઘણા સમયથી ગાજી રહેલા પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાના પ્રકરણનો અંત ૨૫ ડિસેમ્બરે આવશે અને શુસાસન દિવસે જ પોરબંદર મહાનગરપાલિકાનો ઉદય થશે.
૨૫ ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી પર સુશાસન દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ને વાજપેયીના સન્માનમાં વર્ષ ૨૦૧૪માં સરકારમાં જવાબદેહી લોકો વચ્ચે જાગકતા વધારવા માટે સપિત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખતા સુશાસન દિવસને સરકાર માટે કાર્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. ગુડ ગવર્નેન્સ ડેના અવસરે લોકો અટલ બિહારી વાજપેયીને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપે છે. આ દિવસે તેમને યાદ કરીને તેમના દ્વારા કરવામાં આવેલા કામ વિશે વાત કરવામાં આવે છે.આ માટે અલગ-અલગ જગ્યાઓ પર સેમિનારનું આયોજન પણ ાય છે. આ દિવસે ગુજરાતમાં અ-વર્ગ ધરાવતી નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકા નો દરજ્જો આપવામાં આવશે પરિણામે ગુજરાત રાજ્યમાં વધારાની નવ મહાનગરપાલિકાનું ઉદય તા રાજ્યમાં કુલ ૧૭ મહાનગરપાલિકાનું માળખું બનશે.વર્ષ ૨૦૨૪ ૨૫ના બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સાત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી.
આ તમામ નગરપાલિકાને મહાનગરપાલિકા નો દરજ્જો મળતા આગામી દિવસોમાં યોજનારી નગરપાલિકાની ચૂંટણી ૮૫ ના બદલે ૬૦ નગરપાલિકાઓમાં યોજાશે આ મહાનગરપાલિકાની આજુબાજુની નાની નાની નગરપાલિકાઓને તેમાં સમાવી લેવાતા નગરપાલિકાની સંખ્યામાં ઘટાડો શે.
ગુજરાત રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ અંગેની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવાી ભૌગોલિક વિસ્તારનો વિકાસ શે સો સો રાજ્યને કેન્દ્ર સરકાર દ્વારા અપાતી નાણાકીય સહાયમાં પણ નોંધપાત્ર વધારો શે. અહીં નોંધવું જરી છે કે વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારની બે વર્ષ પૂર્ણ યા છે ત્યારે ૨૫ મી ડિસેમ્બરે સુશાસન દિવસની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ શ કરી દેવામાં આવી છે આ દિવસે નગરપાલિકાઓને મહાનગરપાલિકા જાહેર કરતા નોટિફિકેશન રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે અને પોરબંદર મહાનગરપાલિકા બનવા તરફ આગેકૂચ કરશે તેવુ સમજાઇ રહ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech