પીજીવીસીએલની ટીમે સતત ૩૬ કલાકથી વધુ કામગીરી કરીને વીજ પુરવઠો પુનઃ કાર્યરત કર્યો
ખંભાળિયામાં રવિવારે ૧ થી ૯ ઈંચ વરસાદથી ૨૩ ગામડાઓમાં વીજ ખોરવાઈ ગયો હતો. વરસાદ બંધ થતા જ જીલ્લાની પીજીવીસીએલની ટીમોએ યુધ્ધના ધોરણે રિપેરીંગ કામ કરી તમામ ગામોમાં વીજ પૂરવઠો પુનઃ ચાલુ કર્યો હતો.
ખંભાળિયામાં પડેલા ભારે વરસાદને કારણે તેમજ અન્ય વિસ્તારમાં આવેલ વરસાદને કા૨ણે ૨૩ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જ્યોતિગ્રામના ૭ ફીડર અને ૨૮ ખેતીવાડી ફીડરમાં પુરવઠો ખોરવાતા પીજીવીસીએલની ટેકનિકલ ટીમોએ દરેક ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી આપ્યો હતો.
જિલ્લામાં વરસાદને કારણે કુલ ૨૩ જેટલા ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. આ તમામ ગામોમાં પીજીવીસીએલની ટીમોએ વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે ૩૬ કલાક સુધી સતત જહેમત ઉઠાવી હતી. જિલ્લામાં વરસાદને કારણે ગામોમાં 12 વીજ થાંભલા પડી ગયા હતા અને અમુક ફીડર પણ બંધ થયા હતા. હાલ વીજ પુરવઠો પુનઃ શરૂ કરી આપવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધવિરામ બાદ ટ્રમ્પે પોસ્ટ કરી લખ્યું કે શું હવે કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે કે નહી?
May 11, 2025 11:03 AMજાણો પાકિસ્તાને સિઝફાયર તોડ્યા પછી દેશના જુદા જુદા રાજ્યોમાં શું સ્થિતિ હતી
May 11, 2025 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech