શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવેલો ફ્લાવર શોની રોજના હજારો લોકો મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે ફ્લાવર શો 2025ને વધુ બે દિવસ માટે લંબાવવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. ફ્લાવર શો હવે આગામી 23 અને 24 જાન્યુઆરી એમ બે દિવસ સામાન્ય મુલાકાતીઓ માટે સમય સવારે 9.30થી સાંજે 5.30 કલાક સુધીનો રહેશે.
અમદાવાદમાં સાબરમતિ રિવફ્રન્ટ પર ફ્લાવર શો ચાલી રહ્યો છે. જેમાં દેશ-વિદેશના અવનવા ફૂલો જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે પ્રી-વેડિંગ કરવા માગતા યુગલ માટે બે દિવસની છૂટ આપી છે.
જાણો ક્યાં સમયે શૂટિંગ કરી શકશો
ફ્લાવર શો 23 અને 24 જાન્યુઆરી એમ બે દિવસ સામાન્ય મુલાકાતીઓ માટે સમય સવારે 9.30થી સાંજે 5.30 કલાક સુધીનો રહેશે. જ્યારે સવારે 7થી 8 વાગ્યા સુધી અને સાંજના 6થી રાતના 12 વાગ્યા સુધી પ્રી-વેડિંગ શૂટ માટે સમય ફાળવવામાં આવ્યો છે.
કેટલો ચાર્જ લેવામાં આવશે
સાબરમતી રિવરફ્રન્ટ પર યોજવામાં આવેલો ફ્લાવર શો 3 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી દ્વારા લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેની સાત જાન્યુઆરી સુધીમાં આશરે લાખ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે. ફ્લાવર શોને મળતા અદ્ભૂત પ્રતિસાદને ધ્યાનમાં રાખીને વધુ બે દિવસ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સાથે 23 અને 24 જાન્યુઆરી એમ બે દિવસ ફ્લાવર શોમાં પ્રિ-વેડિંગ શૂટ કરાવી શકાશે. પ્રિ વેડિંગ શૂટિંગ માટે સવારે 7થી 8 કલાક સુધીનો સ્લોટ આપવામાં આવશે. જેનો ચાર્જ રૂ. 25000 રહેશે. જેમાં વધુમાં વધુ 10 વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે. જ્યારે સાંજે 6થી રાતના 12 વાગ્યા સુધીના રૂ. 35000 ચાર્જ રહેશે. એક દિવસના વધુમાં વધુ 15 બુકિંગ લેવામાં આવશે.
મૂવી, એડવર્ટાઈઝમેન્ટના શુટિંગ માટે પણ સ્લોટ અપાયો
વેબ સિરીઝ તેમજ મુવી/એડવર્ટાઈઝમેન્ટના શૂટિંગ માટેનો સમય સાંજે 6થી રાત્રે 12 વાગ્યા સુધીનો રહેશે. જેનો ચાર્જ રૂ. 1 લાખ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં વધુમાં વધુ 25 લોકોને પ્રવેશ આપવામાં આવશે. વેબ સિરીઝ તેમજ મુવી/એડવર્ટાઈઝમેન્ટના શૂટિંગ માટે 3 કલાકનો સ્લોટ અને પ્રતિદિન વધુમાં વધુ પાંચ બુકિંગ લેવામાં આવશે. પ્રિ-વેડિંગ શૂટિંગ માટે, વેબ સિરીઝ તેમજ મુવીઝ/ એડવર્ટાઇઝમેન્ટના સ્લોટ બુકીંગ www.ahmedabadcity.gov.in પરથી બુક કરી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech