સોમનાથ ખાતે આવેલ હેલીપેટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૪,૧૫ કલાકે પહોંચેલ અને ત્યાં થી સીધા સોમનાથ મંદિર સામે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએ આવેલ ત્યાં ટ્રસ્ટના ટ્રસ્ટી પી કે લહેરી,જે ડી પરમાર અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સ્વાગત કરેલ અને વડાપ્રધાને સરદાર વલ્લ ભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પો અર્પણ કરેલા અને સિધા સોમનાથ મંદિરમા દર્શન માટે ગયેલા જેમાં સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક બાદ શિવ લિંગની પુજા અર્ચના કરવામાં આવેલ
શિવલિંગની પુજા બાદ મંદિર ઉપર ૧૭૬૬ સોનાના કળશ ચડાવવાના છે જેમા મોટા ભાગના કળશના દાંતાઓના હસ્તે પુજા કરવામાં આવેલ અને જે કળશની પુંજા થયેલ નથી તેવા કળશની વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પુજા કરવામાં આવેલ આ સાથે મંદિર ઉપર ચડાવવાના તમામ કળશ પુરા થયેલ છે અને કળશ પુજા બાદ વડાપ્રધાન બહાર નિકળી ગેલેરી બાજુ નિરીક્ષણ કરેલ અને મંદિરની બહાર નિકળી ગયા અને ત્યાંથી ત્રિવેણી રોડ ઉપર આવેલ રામ મંદિરના દર્શન કરી અને સાસણ રવાના થયા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ ખાતે ભગવાન સોમનાથના પૂજા–અર્ચન કર્યા બાદ તેમના આગળના પ્રવાસ માટે સાસણ જવાં રવાના થયાં ત્યારે તેમને મહાનુભાવો દ્રારા ભાવસભર વિદાય આપવામાં આવી હતી.
સોમનાથ હેલિપેડ ખાતેથી વડાપ્રધાનને ભાવસભર વિદાય આપવા માટે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, વેરાવળ–પાટણ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા ઉપસ્થિત રહ્યાં હતાં.
અત્રે ઉલ્લ ેખનીય છે કે, સોમનાથના કાર્યક્રમ બાદ વડાપ્રધાન સાસણ ખાતે યોજાઈ રહેલ વાઈલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ (વન્યજીવ સંરક્ષણ નાણા: લોકોમાં અને પૃથ્વી ગ્રહમાં રોકાણ) થીમ આધારિત વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણીમાં સહભાગી થવા માટે રવાના થયા હતાં. આજુબાજુનાના લોકો નરેન્દ્રભાઇ મોદીને જોવા મોટી સંખ્યામાં ઉમટી પડા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech