IPL 2025ની 18મી સિઝનનો આજથી રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદમાં પ્રથમ મેચ 25 માર્ચે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે. જેના માટે પંજાબ કિંગ્સની ટીમ અમદાવાદ આવી પહોંચતા તેનું ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ITC નર્મદા હોટલમાં ખેલાડીઓના સ્વાગત માટે ખાસ તૈયારી કરવામાં આવી હતી. અહીં ખેલાડીઓએ ટ્રિપલ ચોકલેટ કપ, મિન્ટ ડાર્ક ચોકલેટ સહિતની વિવિધ ચોકલેટ્સનો સ્વાદ માણ્યો.
25 માર્ચે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે 25 માર્ચે મુકાબલો છે. જેની ટિકિટોનું વેચાણ પણ શરૂ થઈ ચૂક્યું છે. IPLની મેચ રમવા માટે પંજાબ કિંગ્સની ટીમ અમદાવાદ પહોંચતા ખેલાડીઓનું ITC નર્મદા હોટલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં આ સિઝનમાં IPLની 7 મેચ રમાશે
IPL 2025ની આ સિઝનની ગુજરાત ટાઇટન્સની કુલ 7 મેચ અમદાવાદમાં રમાશે. જેમાં પંજાબ કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝ હૈદરાબાદ, લખનઉ સુપર જાઇન્ટસ્ અને છેલ્લે ચેન્નઈ સુપર કિંગ્સ સામે અમદાવાદમાં રમાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMપાકિસ્તાનના ભારત પર સતત હુમલાના પ્રયાસો: પોખરણથી પઠાણકોટ સુધી ડ્રોન હુમલા નિષ્ફળ
May 09, 2025 10:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech