યુદ્ધ વિરામ બાદ રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ આજથી શરૂ, ટૂંક સમયમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયામાં બુકિંગ શરૂ થશે

  • May 12, 2025 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાન દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. જોકે ભારતીય સેના જડબાતોડ જવાબ આપી દરેક હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા. આ દરમિયાન સુરક્ષાના ભાગરૂપે રાજકોટનું હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટને 15 મે સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ગત શનિવારે બન્ને દેશ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. હાલ પરિસ્થિતિ સામાન્ય બનતા રાજકોટનું હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ આજથી ફરી શરૂ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ ઇન્ડિગો અને એર ઇન્ડિયામાં બુકિંગ શરૂ થશે.


બુકિંગ બાદ ફ્લાઈટ રાબેતા મુજબ શરૂ કરાશે

મળતી માહિતી અનુસાર, રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટીએ પરમિશન આપતા પેસેન્જર ફ્લાઈટ માટે શરૂ કરવામાં આવ્યું છે. 15 મેના બદલે આજથી એરપોર્ટને શરૂ કરાયું છે. ઇન્ડિગો અને એર ઇન્ડિયા દ્વારા બુકિંગ શરૂ કરાયા બાદ ફ્લાઇટ રાબેતા મુબજ શરૂ કરાશે. ઉલ્લેખનીય છે  કે, ગુજરાતના ભુજ, કંડલા, કેશોદ, જામનગર, નલિયા, મુંદ્રા, હીરાસર (રાજકોટ) અને પોરબંદર એરપોર્ટ બંધ કરાયા હતાં. યુદ્ધ વિરામ બાદ સ્થિતિ સામાન્ય થતાં સરકારી કર્મચારીઓની રદ થયેલી રજાઓ મામલે પણ આજે મહત્વનો નિર્ણય લેવાઈ શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application