રાજકોટ મહાપાલિકા દ્રારા શહેરમાં જેટપેચરથી રસ્તા રીપેરીંગ શ કરાયું હતું દરમિયાન કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર સામેના અક્ષર માર્ગ ઉપર કરાયેલું રસ્તા રીપેરીંગ વ્યવસ્થિત નહીં થતાં કોન્ટ્રાકટર એજન્સી એસી ઇન્ફ્રા કોણ ને નોટિસ ફટકારી તેની પાસે જ નવેસરથી રસ્તાનું રીપેરીંગ કરાવવામાં આવ્યું હતું. જેટ પેચરથી કરાયેલા રસ્તા રીપેરીંગ ના કામમાં એક વર્ષની ગેરંટી હોય છે પરંતુ અક્ષર માર્ગ સહિત બે સ્થળોએ ચકાસણીમાં ક્ષતી દેખાતા ફરી કામ કરાવ્યું હતું. ચોમાસા દરમિયાન ભેજ વાળા વાતાવરણના સમયે તાત્કાલિક અસરથી કામ કરવા માટે આ એજન્સી રોકવામાં આવી હતી.
દરમિયાન તાજેતરમાં રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળ આવતા વિસ્તારમાં ગઇકાલથી વોર્ડ નં.૮માં રૈયા રોડ, લીંબુડીવાડી, કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર પાસે, રાજનગર ચોક, સોજીત્રાનગર રોડ સહિતના રસ્તાઓ ઉપર જેટ પેચર મશીનથી ૧૭૩ ચોરસ મીટર રીપેર કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં વોર્ડવાઇઝ યાં જર જણાય ત્યાં જેટ પેચર થી રીપેરીંગ કરાશે. ગઇકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં એકશન પ્લાન હેઠળના રસ્તા કામો માટેનો કોન્ટ્રાકટ મંજૂર થતાં હવે ટુંક સમયમાં સમગ્ર શહેરમાં એકસાથે ડામરકામનો ધમધમાટ શ થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆવતીકાલથી પેટ્રોલ પંપ પર યુપીઆઈ પેમેન્ટ નહીં સ્વીકારાય
May 09, 2025 02:53 PMકુછડી નજીક મીનીબસ હડફેટે ભાઇની નજર સામે બહેનનું નિપજ્યુ કણ મોત
May 09, 2025 02:45 PM‘સમજી જજો આતંકવાદીઓના આકાઓ, નહીં તો આ તમારી સગી નહી થાય’: પૂજ્ય ભાઇશ્રી
May 09, 2025 02:44 PMપૈસાના ચક્કરમાં ફસાયેલા મિત્રની મદદ કરનાર યુવક પોતે જ ફસાઈ જતા ઝેરી પ્રવાહી પીધું
May 09, 2025 02:43 PMઆઠ દિવસમાં રાજીવનગરના રસ્તા સમથળ નહી થાય તો મનપા સામે થશે આંદોલન
May 09, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech