સિકંદરના રિલીઝ પહેલા સલમાન ખાને પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરો સલમાન ખાન ખૂબ જ ડેશિંગ લાગી રહ્યા છે. પરંતુ જે વસ્તુએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે, તે તેમની કેસરી કલરની ઘડિયાળ છે. આ ઘડિયાળના કારણે સલમાન ખાન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં આવી આવી ગયા છે. જણાવી દઈએ કે, આ ખાસ ઘડિયાળમાં ભગવાન શ્રીરામ અને અયોધ્યા ખાતે આવેલું રામ મંદિર જોઈ શકાય છે.
એક રિપોર્ટ મુજબ, સલમાન ખાને જણાવ્યું છે કે આ ઘડિયાળ તેમને તેમની માતા અને બહેને ગિફ્ટમાં આપી છે. સલમાન ખાને કહ્યું કે, આ ઘડિયાળ તેમની ઈદી પણ હોઈ શકે છે. જેકોબ એન્ડ કુ. કંપનીની આ ઘડિયાળની કિંમત 34 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. આ ઘડિયાળમાં ભગવાન શ્રીરામની સાથે-સાથે હનુમાનજી પણ જોવા મળી રહ્યા છે. સાથે જ આ ઘડિયાળમાં રામ મંદિર પણ જોવા મળી રહ્યું છે.
આ ઘડિયાળનો સ્ટ્રેપ કેસરી કલરનો છે, આ ઘડિયાળનું નામ એપિક એક્સ રામ જન્મભૂમિ ટાઈટેનિયમ એડિશન 2 છે. આ ઘડિયાળનો ઈન્ડસ્ટ્રીમાં કેટલો ક્રેઝ છે તેનો અંદાજો તમે આ વાત પરથી લગાવી શકો છો કે સલમાન ખાન પહેલા આ ઘડિયાળ અભિષેક બચ્ચન પહેરી ચૂક્યા છે.
સલમાન ખાન આ ઈદ પર એક્શન અને સ્વેગની સાથે મોટા પડદા પર પરત ફરી રહ્યા છે. એ.આર મુરુગદાસના નિર્દેશનમાં બનેલી 'સિકંદર' એક દમદાર એક્શન ફિલ્મ છે, જેમાં સલમાન ખાન અન્યાસની સામેલ લડતા જોવા મળશે. ફિલ્મમાં તેમની સાથે સાઉથ સુપરસ્ટાર રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાન તેને ઈદ પર મોટાપાયે રિલીઝ કરવા માટે પૂરી રીતે તૈયાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech